હિટ એન્ડ રનના ત્રણ કેસમાં રાજ્યમાં પ્રથમવાર બે લાખ રૂપિયાની સહાય

  • February 08, 2024 03:34 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ શહેર જિલ્લામાં હિટ એન્ડ રનના કેસમાં મૃત્યુ પામેલા ત્રણ નાગરિકોના પરિવારોને રૂપિયા બે–બે લાખની આર્થિક સહાય રાય સરકારની યોજના અન્વયે રાજકોટ જિલ્લા કલેકટર પ્રભવ જોષી દ્રારા ચૂકવવામાં આવી છે.હિટ એન્ડ રનના કેસમાં મૃત્યુ પામનારના પરિવારને સહાય ચૂકવવાની રાય સરકારની યોજના અમલી છે જેની ખૂબ ઓછા લોકોને જાણ હોય છે. દરમિયાન રાજકોટ જિલ્લાના કલેકટર પ્રભવ જોષીએ તેમના ધ્યાન પર આવેલા હિટ એન્ડ રનના ત્રણ કેસમાં મૃત્યુ પામનાર ત્રણ વ્યકિતના પરિવારને પરિવારદીઠ રૂપિયા બે–બે લાખ ચૂકવવાની દરખાસ્ત સરકાર સમક્ષ રજૂ કરી હતી જે મંજુર થતાં મૃતકોના પરિવારને ટૂંક સમયમાં રૂપિયા બે–બે લાખની રકમનો ચેક આપવામાં આવશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, હિટ એન્ડ રનના કેસમાં મૃતકના પરિવારને કલેકટર તત્રં મારફતે સહાય ચૂકવવામાં આવી હોય તેવો રાયનો પ્રથમ કિસ્સો છે.
મહત્વપૂર્ણ છે કે, હિટ એન્ડ રનના કેસમાં જિલ્લા કલેકટર તંત્રના સ્તરેથી કાર્યવાહી થાય અને મૃતકના પરિવારને સહાય મળે તેવો આ પ્રથમ કિસ્સો છે. સામાન્ય રીતે કોઇપણ દુર્ઘટના બને ત્યારે રાય સરકાર કે કેન્દ્ર સરકાર તરફથી નાણાકીય સહાય ચૂકવવામાં આવતી હોય છે પરંતુ સ્થાનિક સ્તરે બનતા અને પ્રથમ દર્શનિય રીતે સામાન્ય જણાતા તેવા હિટ એન્ડ રનના બનાવો ખરેખર ખૂબ કરૂણ હોય છે અને તેમાં સંબંધિત પરિવારે તેનો આધારસ્તભં ગુમાવ્યો હોય છે, કયારેક તો એવા કિસ્સા બનતા હોય છે કે, હિટ એન્ડ રનમાં મૃત્યુ પામનાર વ્યકિત પરિવારનો એકમાત્ર કમાનાર વ્યકિત હોય છે. આવા કિસ્સામાં પાછળથી પરિવારની હાલત કફોડી થઇ જતી હોય છે. ઉપરોકત પ્રકારે રૂપિયા બે લાખની સહાય મળે તો મૃતકના પરિવાર માટે એ સાંત્વનારૂપ બની રહે છે. રાજકોટ કલેકટરે શરૂ કરેલી આ અભિનવ પહેલને અન્ય જિલ્લા કલેકટર પણ અનુસરે અને તેમના કાર્યક્ષેત્ર હેઠળના શહેર જિલ્લામાં બનતા હિટ એન્ડ રનના બનાવોમાં મૃતકના પરિવારને સહાય આપવા સરકાર સુધી દરખાસ્ત કરે તે જરૂરી છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application