સુરતમાં થયેલી હત્યામાં બનાવ નજરે જોનાર જસદણનો યુવાન ઓળખ પરેડમાં આરોપીને ઓળખી ન શકતા આ બાબતનો ખાર રાખી મૃતકના ભાઈ સહિતના પરિવારજનોએ યુવાનને માર માર્યો હતો. જે અંગે જસદણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.
જસદણમાં ગંગા ભુવન શેરી નંબર 4 માં રહેતા તૃષિત ભરતભાઈ ધોરડા(ઉ.વ 27) નામના યુવાને નોંધાવેલી પોલીસ ફરિયાદમાં આરોપી તરીકે જસદણમાં જ રહેતા તેજસ ભરતભાઈ રાઠોડ, તેજસનો કુટુંબીભાઈ લાલો, લાલાનો ભાઈ, તેજસના મમ્મી અને તેજસના કાકા ભરતભાઈના નામ આપ્યા છે.
યુવાને પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે તે ટ્રાન્સપોર્ટનો ધંધો કરે છે તા. 30/7 ના રાત્રિના દસેક વાગ્યે તે જમી માર્કેટિંગ યાર્ડ સામે બેસવા જતો હતો ત્યારે તેણે તેના ભાઈને પૂછતા તે ત્યાં બેસવા ગયો ન હોવાનું જણાવતા યુવાન વિંછીયા બાયપાસ દ્વારકાધીશ હોટેલથી પરત ફર્યો હતો. ત્યારે રસ્તામાં વીંછિયા રોડ પર તાલુકા પંચાયત પાસે પહોંચતા ચાલુ ગાડીએ તેજસ કિશોર રાઠોડએ પથ્થર નો ઘા કરતા યુવાને બાઇક ઉભું રાખ્યું હતું. દરમિયાન આરોપીઓ તેની પાસે આવી ગાળો આપી ઢીકાપાટુનો માર મારવા લાગ્યા હતા. તેમજ લાકડી વડે પણ મારમાર્યો હતો દરમિયાન અહીં એકત્ર થયેલા લોકોએ યુવાનને વધુ મારમાંથી બચાવ્યો હતો ત્યારબાદ તેને સારવાર માટે જસદણ સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.
યુવાને પોતાની ફરિયાદમાં વધુમાં જણાવ્યું હતું કે, આરોપી તેજસ રાઠોડના ભાઈ અજય રાઠોડની સુરતમાં હત્યા થઈ હતી. તે સમયે યુવાન પણ સુરત રહેતો હતો જે બનાવ યુવાને નજરે જોયો હોય પરંતુ ઓળખ પરેડમાં યુવાન આરોપીને ઓળખી ન શકતા જે બાબતનો ખાસ રાખી આ હુમલો કરવામાં આવ્યો હતો. આ અંગે યુવાનની ફરિયાદ પરથી જસદણ પોલીસે આરોપીઓ સામે ગુનો નોંધી જરૂરી કાર્યવાહી કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોલકાત્તા દુષ્કર્મ કેસ: આરજી કર હોસ્પિટલના જુનિયર ડોક્ટરોની હડતાળ સમાપ્ત
September 19, 2024 10:58 PM'તમામ હદ પાર', હિઝબુલ્લા ચીફની ધમકી બાદ પણ ન માન્યું ઇઝરાયેલ, બેરુતને હચમચાવી નાખ્યું
September 19, 2024 10:15 PMતિરુપતિ મંદિરના પ્રસાદમાં જાનવરોની ચરબી, લેબ રિપોર્ટમાં ખુલાસો, ફિશ ઓઈલ મેળવવાની પુષ્ટિ
September 19, 2024 10:13 PMબાંગ્લાદેશ હિંસામાં નવ લઘુમતીઓના મોત, 69 પૂજા સ્થાનો પર તોડફોડ, ચોંકાવનારા આંકડા આવ્યા સામે
September 19, 2024 10:12 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech