સલાયામાં મોહરમનો આશુરાનો દિવસ સમ્પન્ન

  • July 18, 2024 11:23 AM 

શેરીએ-શેરીએ લોકોએ લીધી લેશે ધમાલ અને ચોકારો

ગઈકાલે મુસ્લિમ સમાજના પવિત્ર મોહરમનો છેલો આશુરાનો દિવસ હતો, ગઇકાલે તાજીયાને પડમાં આંટા ફેરવવામાં આવ્યા હતા, ત્યારબાદ ત્યાં સમૂહ  આમ નિયાઝ યોજાઇ હતી અને આખા ગામમાં તાજીયાનું ઝુલુસ નીકળ્યું હતું, જેની સાથે-સાથે મુસ્લિમ ભાઈઑએ ચોકારો અને ધમાલ લીધી હતી, જે છેલ્લે કબ્રસ્તાન પાસે જઈ અને ત્યાં મુસ્લિમ ધર્મની ધાર્મિક વિધિ મુજબ પાછા મૂળ એના પડમાં લાવવામાં આવ્યા હતા.

સલાયામાં મુખ્ય બે તાજીયા હોય છે, એક સુન્ની મુસ્લિમ વાઘેર જમાતના... જેના ચાંદીના તાજીયાનાં દર્શન માટે આજુબાજુના ગામમાંથી લોકો ખાસ પધારે છે, અને બીજા સુન્ની મુસ્લિમ ભાડેલા જમાતના તાજીયા... જે પણ અનેક કલાકૃતિથી શણગારવામાં આવે છે, જેના દર્શન માટે પણ લોકો દૂર-દૂરથી સલાયા આવે છે.

આ છેલ્લા દિવસે દરેક લોકો પોતાની માનતાઓ પૂરી કરે છે અને શ્રદ્ધાભેર શ્રીફળ વધારે છે. આ શિવાય પણ નાના બાળકો અને મહોલ્લાના લોકો પણ નાના-મોટા તાજીયા બનાવે છે જે પણ આકર્ષણનું કેન્દ્ર હોય છે. આજે હિન્દુ લોકો પણ આ પવિત્ર તાજીયાને શ્રીફળ અને સાકર ધરે છે તેમજ લોબાન કરે છે, આમ શ્રદ્ધાપૂર્વક મોહરમનો પર્વ ઉજવાય છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application