પોરબંદર નજીકના રતનપર પાસે આવેલી ઝુરીઓમાં ફરી એક વખત આગની ઘટના બની છે. મહત્વની બાબત એ છે કે છેલ્લા કેટલાક દિવસોથી શનિવારે આગ લાગે છે અને આ આગ લગાડનારા કોણ છે તે અંગે રાબેતા મુજબ વિગતો બહાર આવી નથી.
જાણવા મળતી વિગત પ્રમાણે પોરબંદરના રતનપર નજીકની ઝુરીઓમાં શનિવારે સવારે આગ લાગી હતી અને જોતજોતામાં આગના લબકારા ચારેબાજુ ફેલાવા લાગ્યા હતા અને વિશાળ સંખ્યામાં પર્યાવરણ અને પ્રકૃતિનો શોથ વળી ગયો હતો. બનાવની જાણ પોરબંદર મહાનગરપાલિકાના ફાયરબ્રિગેડ વિભાગને કરવામાં આવતા ફાયરજવાનો મારતે બંબે પહોંચી ગયા હતા અને કલાકો સુધી પાણીનો મારો ચલાવી ને આગ ઉપર કાબુ મેળવ્યો હતો. ચોંકાવનારી બાબત એ છે કે દર વખતની જેમ આ વખતે પણ આગ શનિવારે જ લાગી હતી અને આગ લગાડનારાઓ વિષે કોઇ જ માહિતી તંત્ર સુધી પહોંચી નથી. અગાઉ જે રીતે તપાસના નાટક થયા હતા તેવા જ નાટક થાય તેવી શકયતાઓ જણાઇ રહી છે. વાસ્તવમાં પર્યાવરણ અને પ્રકૃતિની ઘોર ખોદી નાખનારાઓ સામે તંત્ર પગલા લેવામાં કયા ચોઘડીયાની રાહ જુવે છે એ જ શહેરીજનોને સમજાતુ નથી. અનેક વખત આ પ્રકારના બનાવો બન્યા હોવા છતાં પોલીસ તંત્ર, વહીવટીતંત્ર તેના મૂળ સુધી પહોંચ્યુ નથી. તેથી પર્યાવરણ અને પ્રકૃતિપ્રેમીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. વારંવાર આ પ્રકારની ઘટનાઓ વધી હોવા છતાં અને લોકોએ લેખિતમાં સ્થાનિકથી માંડીને મુખ્યમંત્રી સુધી રજૂઆતો કરી હોવા છતાં આગ લગાડનારાઓ આબાત આવી હરકતો કરી રહ્યા છે તે તંત્ર માટે પણ હવે શરમજનક હોય તેવુ જણાઇ રહ્યુ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationખંભાળીયાની હાઈવે પર આવેલ મઢુલી હોટલ પર લૂખા તત્વોનો અંદરો અંદર ડખો
March 31, 2025 06:35 PMરીક્ષા ચાલક યુવાનની હત્યા કેસના આરોપીને પકડવામાં પોલીસ સફળ..
March 31, 2025 06:05 PMધ્રોલ તાલુકાના ધ્રાંગડા ગામ ની સીમમાં ખનીજ ચોરી નું મસ્ત મોટું કૌભાંડ..
March 31, 2025 05:37 PMજામનગરમાં ચેઈન સ્નેચિંગના આરોપીઓ ઝડપાયા
March 31, 2025 05:19 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech