પત્નીએ પોલીસમાં અરજી કરતાં વ્યથિત પતિએ અગ્નિસ્નાન કર્યું

  • November 17, 2023 11:20 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ખંભાળિયા તાલુકાના ગોલણ શેરડી ગામે રહેતા ગગુભાઈ મેઘાભાઈ સઠીયા નામના ૩૦ વર્ષના ગઢવી યુવાનને તેની પત્ની સાથે અગાઉ ઝઘડો થયો હતો. તેથી તેના પત્ની પોતાના માવતરે જતા રહ્યા હતા. આ પછી તેણીએ પોતાના પતિ વિરુદ્ધ પોલીસમાં અરજી કરતા ગગુભાઈ પોતાના પત્નીને પોતાના ઘરે પરત આવવા માટે સમજાવવા ગયા હતા. પરંતુ તેની પરત આવ્યા ન હતા.
આ બાબતે ગગુભાઈ સઠીયાને મનમાં લાગી આવતા તેમણે ભાડથર ગામે આવેલા ખાટલાધાર વાડી વિસ્તારમાં પોતાના હાથે શરીરે કેરોસીન છાંટીને દિવાસળી ચાંપી લીધી હતી. આનાથી ગંભીર રીતે દાઝી ગયેલી હાલતમાં ગગુભાઈ ગઢવીને વધુ સારવારમાં અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નીપજ્યું હતું.
આ બનાવની જાણ મૃતકના મોટાભાઈ ફોગાભાઈ મેઘાભાઈ ગઢવી (ઉ.વ. ૪૯, રહે. હાલ દાતા) એ અહીંની પોલીસને કરી છે. જે અંગે પોલીસે જરૂરી નોંધ કરી, આગળની કાર્યવાહી કરી હતી.
***
પતિના મૃત્યુ બાદ વ્યથિત મહિલાનો ઝેરી દવા પીને આપઘાત
કલ્યાણપુર તાલુકાના આશિયાવદર ગામે રહેતા ગજરાબા પબજીભા જેઠવા નામના ૫૬ વર્ષના મહિલાના પતિ નવુભાનું એકાદ વર્ષ પૂર્વે હૃદયરોગના હુમલાના કારણે અવસાન થયા બાદ માનસિક રીતે અસ્વસ્થ રહેતા ગજરાબાએ પોતાના ઘરે પાકમાં છાંટવાની જંતુનાશક દવા પી લેતા તેમને ખંભાળિયાની હોસ્પિટલ બાદ વધુ સારવાર અર્થે જામનગરની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવની જાણ મૃતકના પુત્ર રણજીતસિંહ નવુભા જેઠવાએ કલ્યાણપુર પોલીસને કરી છે.
***
દ્વારકામાં પરપ્રાંતિય તરુણનું અપમૃત્યુ
મધ્ય પ્રદેશ રાજ્યના ધાર જિલ્લાના સરદારપુર તાલુકામાં રહેતા અરવિંદ વેશીયાભાઈ મેળા નામના ૧૫ વર્ષના તરુણને ગત તારીખ ૧૪ ના રોજ ઠંડી અને તાવ જેવી બીમારી રહ્યા બાદ તેને વધુ સારવાર અર્થે ખંભાળિયાની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ નીપજ્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application