ફેબ્રુઆરી માસથી દંપતિને કોઇ જવાબ ન મળતા વિજ કચેરીમાં હંગામો
જામનગર શહેરમાં વિજ કર્મચારીએ એક દંપતિ પાસેથી વિજ બીલના પિયા લઇને કચેરીમાં જમા ન કરાવતા આખરે આ દંપતિને લઇને નગરસેવિકા રચના નંદાણીયાએ ગઇકાલે પીજીવીસીએલના અધિક્ષકની ઓફીસમાં વેલણ લઇને ઘસી ગયા હતાં અને અધિક્ષકે પણ આ વાત જાણતા તેઓ પણ ચોંકી ઉઠયા હતાં અને તપાસ કરવા ખાતરી આપી હતી.
જાણવા મળતી વિગત પ્રમાણે પીજીવીસીએલના કર્મચારી તા.2 ફેબ્રુઆરીના રોજ તમારા બીલના નાણા બાકી છે તેમ કહીને ગૃહ ઉદ્યોગ ચલાવતા આશાબેન અને હરીશભાઇ ચંદારાણા નામના દંપતિ પાસે જઇને વિજ બીલના બાકી નાણા ા.8 હજારની ઉઘરાણી કરીને લઇ ગયા હતાં ત્યારે ા.5200 ઓનલાઇન અને 2800 રોકડા લીધા હતાં, ત્યારબાદ પરીવારને કોઇપણ જાતની પહોંચ આપવામાં આવી ન હતી.
પીજીવીસીએલ દ્વારા બીલમાં રકમ ચડત થઇને આવતાં ા.29 હજારનું બીલ આવ્યું, ત્યારે નગરસેવિકા રચના નંદાણીયાએ પીજીવીસીએલના અધિક્ષક ઇજનેરને ફરિયાદ કરીને કર્મચારીએ નાણા ન આપ્યા હોવાની અને ઉઘ્ધત જવાબ આપતા હોવાની પણ ફરિયાદ કરી હતી. ગઇકાલે સીટી-બી ડીવીઝનમાં પણ આ કર્મચારી વિઘ્ધ અરજી કરવામાં આવી છે, આ અંગે પીજીવીસીએલના અધિક્ષક વાય.આર.જાડેજાને નાણા ટ્રાન્સફર થયાની વિગતો રજૂ કરતા તેમણે નાયબ ઇજનેર અજય પરમારને બોલાવીને આ કર્મચારીનો ખુલાસો પુછવા સુચના આપી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઘાંટવડ ગામ માં આંખલાઓ નાં આંતક થી લોકો નાં જીવ જોખમમાં
July 04, 2024 06:03 PMજુઓ પોરબંદરમાં 50 ફૂટ ઊંડા કૂવામાંથી કઈ રીતે બચાવાયો સાપનો પરિવાર
July 04, 2024 06:01 PMજુઓ પોરબંદરના બંગડી બજારમાં પોલીસ શા માટે દોડી ગઈ
July 04, 2024 05:55 PMપોરબંદરના ફ્લાયઓવરબ્રિજ ઉપર ડમ્ફર હડફેટે એકટીવા ચાલક વૃદ્ધનું નીપજ્યું મોત
July 04, 2024 05:35 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech