કૃષિ મંત્રી બનતાની સાથે જ શિવરાજ સિંહ ચૌહાણે ખેડૂતો માટે લીધો આ નિર્ણય

  • June 11, 2024 03:14 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે આજે કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રીનો ચાર્જ સંભાળ્યો છે. પદ સંભાળતી વખતે તેમણે કહ્યું હતું કે  મને એ જણાવતા આનંદ થાય છે કે ગઈકાલે વડાપ્રધાન દ્વારા લેવાયેલો પહેલો નિર્ણય ખેડૂતોના હિતમાં હતો.


તેમણે કિસાન સન્માન નિધિને જાહેર કરવાનો નિર્ણય કર્યો. ભારતીય જનતા પાર્ટીની સરકારે ખેડૂતોના કલ્યાણ માટે કોઈ કસર છોડી નથી.


ખેડૂતોના કલ્યાણ માટે શક્ય તમામ પગલાં લઈશું : શિવરાજસિંહ ચૌહાણ


શિવરાજ સિંહ ચૌહાણે વધુમાં કહ્યું કે હવે વડાપ્રધાનના નેતૃત્વમાં એનડીએ સરકાર આ કામોને વધુ ઝડપી ગતિએ આગળ ધપાવશે. વડાપ્રધાને ખેડૂતોની આવક બમણી કરવાનો સંકલ્પ કર્યો છે. તેના પર કામ સતત ચાલી રહ્યું છે. અમે સાથે મળીને તેમાં વધુ કામ કરીશું. ખેડૂતોના કલ્યાણ માટે દરેક શક્ય પગલાં લઈશ. આજે જ હું અધિકારીઓને સંકલ્પ પત્ર આપવા જવાનો છું.


મનોહર લાલ ઉર્જા મંત્રી બન્યા


હરિયાણાના પૂર્વ સીએમ મનોહર લાલ પહેલીવાર કેન્દ્રીય કેબિનેટમાં સામેલ થયા છે. તેમને અનુક્રમે કૃષિ-ખેડૂત કલ્યાણ, ગ્રામીણ વિકાસ અને આવાસ અને શહેરી બાબતોના મંત્રાલયની જવાબદારી સોંપવામાં આવી છે. મનોહર લાલને ઊર્જા મંત્રાલય પણ સોંપવામાં આવ્યું છે. જે કેન્દ્રમાં તેમની મોટી ભૂમિકા દર્શાવે છે. તે જ સમયે જેપી નડ્ડાને સ્વાસ્થ્ય મંત્રી બનાવવામાં આવ્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application