ગીર સોમનાથમાં કમોસમી વરસાદનાં કારણે ગોળના ધમધમતા ૧૭૫ જેટલા રાબડા બંધ થયા

  • November 29, 2023 10:56 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગીર વિસ્તારમાં મોટા પ્રમાણમાં શેરડીનું વાવેતર થાય છે. જેના કારણે અહીં વર્ષોથી દેશી ગોળ બનાવવાના રાબડાઓ ચાલે છે તેમજ ગીરનો દેશી ગોળ સમગ્ર દેશમાં વખણાય છે ત્યારે આ વર્ષ પણ અહી ગોળ બનાવવાના ૧૭૫ જેટલા રાબડા દિવાળી સમયે શરૂ થયા હતા જો કે અચાનક ખાબકેલા કમૌસમી વરસાદે અહી પણ મુશ્કેલી સર્જી્ છે. વરસાદના કારણે તમામ રાબડા બંધ કરવાની ફરજ પડી છે.ગીર વિસ્તારમાં રાબડા સંચાલકના કહેવા મુજબ કમૌસમી વરસાદના કારણે રાબડા સંચાલકોને મોટું નુકશાન થયું છે શેરડીનો બગાડ અને ગોળનો બગાડ થયો છે એટલુજ નહિ મજુરને બેઠું વળતર પણ આપવું પડે છે જો હવે વરસાદનાં પડે તો પણ બે ત્રણ દિવસ હજુ પણ રાબડા બંધ રહેશે  બાબતે ગીર સોમનાથ રાબડા એસોસનના પ્રમુખ બાલુભાઈ ગોહિલનું કહેવું છે કે રાબડાની અંદર આગ સળગાવવા માટે નારીયેલીના પન્ના અને શેરડીના છોટાની જરૂર પડતી હોય છે પરંતુ ગઈકાલે જે વરસાદ પડ્યો તેને લઈ શેરડીના છોતાઓમાં ભેજ જોવા મળી રહ્યો છે તેને લઈ હવે જ્યાં સુધી ભેજ દૂર ના થાય અત્યાર સુધી રાબડા ચાલુ થઈ શકે નહીં.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application