આમ આદમી પાર્ટી (AAP)ના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના પૂર્વ સીએમ અરવિંદ કેજરીવાલે આજે દિલ્હી વિધાનસભા ચૂંટણી 2025ને લઈને મોટી જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે, જો AAPની સરકાર બનશે તો અમારી સરકાર દિલ્હીના વૃદ્ધોને મફતમાં સારવારની સુવિધા આપશે.
આ યોજના હેઠળ, દરેકને સરકારી અથવા ખાનગી હોસ્પિટલમાં મફત સારવાર મળશે. સરકાર બનતાની સાથે જ દિલ્હી સરકાર આ સ્કીમ પાસ કરશે અને વૃદ્ધોને સ્વસ્થ રાખવા પર કામ કરશે. બદલામાં, દિલ્હીના તમામ વડીલો આશીર્વાદ તરીકે આમ આદમી પાર્ટીને સમર્થન આપે તેવી અપેક્ષા છે.
અરવિંદ કેજરીવાલે પ્રેસ કોન્ફરન્સ દરમિયાન એમ પણ કહ્યું હતું કે અમારી સરકાર અમીર અને ગરીબ વચ્ચે ભેદ નહીં કરે. દરેકની મફતમાં સારવાર કરવામાં આવશે. વૃદ્ધોની નોંધણી ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે અને ટૂંક સમયમાં દરેકને આઈડી કાર્ડ આપવામાં આવશે.
AAPના વડા અરવિંદ કેજરીવાલે આજે સવારે પોતાની X પોસ્ટમાં લખ્યું હતું કે, તેઓ આજે બપોરે 1 વાગ્યે ખૂબ જ મહત્વપૂર્ણ જાહેરાત કરવા જઈ રહ્યા છે. આ જાહેરાત આપણા વડીલો માટે હશે અને દિલ્હી મોડલમાં વધુ એક સીમાચિહ્નરૂપ સાબિત થશે.
આ પહેલા AAPના વડા અરવિંદ કેજરીવાલે 12 ડિસેમ્બરે મહિલાઓ માટે 'મહિલા સન્માન યોજના'ની જાહેરાત કરી હતી. આ યોજના હેઠળ સરકારે લાયક મહિલાઓના ખાતામાં દર મહિને એક હજાર રૂપિયા ટ્રાન્સફર કરવાની જાહેરાત કરી હતી. બાદમાં તેણે કહ્યું હતું કે, મહિલાઓને 1000 રૂપિયાને બદલે 2100 રૂપિયા આપવામાં આવશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઓસ્ટ્રેલિયાનો ઐતિહાસિક વિજય: ચેમ્પિયન્સ ટ્રોફીમાં સર્વોચ્ચ લક્ષ્યનો પીછો કરીને ઇંગ્લેન્ડને હરાવ્યું
February 23, 2025 01:06 AMજામનગર: ખોડીયાર કોલોનીમાં થઈ ઘરફોડ ચોરી...જાણો શું બોલ્યા ડીવાયએસપી
February 22, 2025 06:49 PMજામનગરની જીજી હોસ્પિટલમાં લુખ્ખા તત્વોના આતંકની ઘટનાના સીસીટીવી વિડીયો સામે આવ્યા
February 22, 2025 06:47 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech