ખંભાળિયામાં રામધામ ટ્રસ્ટના ટ્રસ્ટીઓનું આગમન

  • January 11, 2024 10:37 AM 

ધર્મોત્સવમાં સહભાગી થવા રઘુવંશી જ્ઞાતિજનોને આપીલ



વાંકાનેર તાલુકામાં અમદાવાદ હાઈ-વે પર નિર્માણાધિન શ્રી રામધામના આમંત્રણ અર્થે સંસ્થાના ટ્રસ્ટીઓનું ગઈકાલે સાંજે ખંભાળિયામાં આગમન થયું હતું.


ખંભાળિયામાં બેઠક રોડ ઉપર આવેલી નવી લોહાણા મહાજન વાડી ખાતે ઉપસ્થિત રહેલા રામધામ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ હસુભાઈ ભગદેવ, વિનુભાઈ કટારીયા તેમજ ગીરીશભાઈ કાનાબાર સાથે જોડાયેલા રાજકોટના અગ્રણી રાજુભાઈ જટાણીયા તેમજ તેમની ટીમ દ્વારા ખંભાળિયા રઘુવંશી જ્ઞાતિજનોની ખાસ મુલાકાત કરવામાં આવી હતી. આગામી તારીખ 16 ફેબ્રુઆરીથી 19 ફેબ્રુઆરી સુધી રામધામ ખાતે યોજવામાં આવેલા વિવિધ ધાર્મિક કાર્યક્રમોમાં અહીંના રઘુવંશી જ્ઞાતિજનોને ખાસ સહભાગી થવા તેમના દ્વારા અપીલ કરવામાં આવી હતી.


આ આયોજનમાં લોહાણા મહાજનના ટ્રસ્ટી દિનેશભાઈ દતાણી, ખંભાળિયા શહેર ભાજપ પ્રમુખ અનિલભાઈ તન્ના, કોર્પોરેટર જગુભાઈ રાયચુરા, હિતેશભાઈ ગોકાણી, એડવોકેટ જયેશભાઈ નથવાણી, તુલસીદાસભાઈ ભાયાણી, ધીરેનભાઈ બદીયાણી, યોગેશભાઈ મોટાણી, વિગેરે સાથે ખંભાળિયા તથા સલાયાના મોટી સંખ્યામાં જ્ઞાતિજનો, કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application