સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ (SIT)એ કોર્ટના દરવાજા ખટખટાવ્યા છે. જેમાં SITએ પ્રજ્વલ રેવન્ના સામે ધરપકડ વોરંટ જાહેર કરવાની પરવાનગી માંગી હતી.
કર્ણાટકની હાસન સીટના સાંસદ અને ભાજપના ચૂંટણી સહયોગી જેડીએસના સસ્પેન્ડ ઉમેદવાર પ્રજ્વલ રેવન્ના આ દિવસોમાં સમાચારોમાં છે. તેની સામે ધરપકડ વોરંટ જારી કરવામાં આવ્યું છે. ગયા મહિને પ્રજ્વલ રેવન્ના પર જાતીય સતામણીનો, સેંકડો વીડિયો રેકોર્ડ કરવાનો, ધમકી આપવાનો અને ષડયંત્ર રચવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. રેવન્ના સાથે જોડાયેલા અનેક વાયરલ વીડિયો સામે આવ્યા બાદ મામલો વધુ વેગ પકડ્યો હતો.
સસ્પેન્ડેડ જનતા દળ (સેક્યુલર) નેતા પ્રજ્વલ રેવન્ના વિરુદ્ધ ધરપકડ વોરંટ જારી કરવામાં આવ્યું છે. જ્યાં કર્ણાટકની SITએ કોર્ટનો સંપર્ક કર્યો હતો અને પ્રજ્વલ રેવન્ના વિરુદ્ધ ધરપકડ વોરંટ જારી કરવાની મંજૂરી માંગી હતી.
આ રીતે મામલો આવ્યો પ્રકાશમાં
કર્ણાટકમાં લોકસભા ચૂંટણીના એક દિવસ પહેલા 26 એપ્રિલના રોજ હાસનમાં સેંકડો પેન ડ્રાઈવ દ્વારા વીડિયો શેર કરવામાં આવ્યા હતા. આ પેન ડ્રાઈવમાં 2900થી વધુ વીડિયો હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. આ વીડિયો પ્રજ્વલ રેવન્નાએ કથિત રીતે રેકોર્ડ કર્યા હતા. આ પછી તેમને સોશિયલ મીડિયા પર પણ શેર કરવામાં આવ્યા હતા. કર્ણાટક સરકારે જ્યારે રાજ્ય મહિલા આયોગના વડા નાગલક્ષ્મી ચૌધરીએ મુખ્ય પ્રધાન સિદ્ધારમૈયા અને ડીજીપીને પત્ર લખ્યો ત્યારે આ બાબતની નોંધ લીધી.
જાણો કોણ છે પ્રજ્વલ રેવન્ના?
નોંધનીય છે કે 33 વર્ષીય પ્રજ્વલ રેવન્ના ગૌડા પરિવારની ત્રીજી પેઢીના સભ્ય છે. તે કર્ણાટકના પૂર્વ PWD મંત્રી એચડી રેવન્નાનો પુત્ર અને પૂર્વ મુખ્યમંત્રી એચડી કુમારસ્વામીના ભત્રીજા છે. એચડી રેવન્ના પૂર્વ વડાપ્રધાન અને જેડીએસ સુપ્રીમો એચડી દેવગૌડાના પુત્ર છે. જ્યારે પ્રજ્વલ રેવન્ના પૂર્વ વડાપ્રધાન એચડી દેવગૌડાના પૌત્ર છે.
પ્રજ્વલ રેવન્નાએ 2014માં બેંગ્લોર ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજીમાંથી મિકેનિકલ એન્જિનિયરિંગમાં B.Tech ડિગ્રી મેળવી હતી. તે પછી તેઓ રાજકારણમાં સક્રિય થયા. જ્યારે, પ્રજ્વલ રેવન્ના હસનથી JDS અને NDAના સંયુક્ત ઉમેદવાર હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપૂંછમાં પાકિસ્તાની ગોળીબારમાં એક વ્યક્તિનું મોત, 3 લોકો ઘાયલ, સેનાએ વળતો પ્રહાર કર્યો
May 09, 2025 08:20 PMરાજકોટ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ હવે 15 મે સુધી રહેશે બંધ
May 09, 2025 08:19 PMતણાવની સ્થિતિને પહોંચી વળવા રાજ્ય સરકાર સતર્ક, 108 એમ્બ્યુલન્સનું સૈન્ય થયું સશક્ત
May 09, 2025 07:41 PMજામનગરમાં આવેલ સેનાની ત્રણેય પાંખ સાથે જિલ્લા વહીવટી તંત્રની એક મહત્વપૂર્ણ બેઠક
May 09, 2025 07:00 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech