ગોંડલ રોડ પરના આંબેડકરનગરમાં રહેતા હમીર ઉર્ફે ગોપાલ દેવજીભાઈ રાઠોડ ઉ.વ.૨૪ નામના યુવકની હત્યાના આરોપમાં એક સાહથી વોન્ટેડ માલવિયાનગર પોલીસ મથકના એએઆઈ અશ્ર્વિન જેઠાભાઈ કાનગડ હાજર થતાં તેની ધરપકડ કરાઈ છે. હત્યાના આરોપના ગુનામાં સપડાયેલા એએસઆઈને સસ્પેન્ડ કરવાની તજવીજ આરંભાઈ છે.
ગત તા.૧૪ના રોજ રાત્રીના ખોડિયારનગરમાં પાડોશી ઝઘડાતા હોય સમાધાન માટે હમીરને તેના પરિચિત રાજેશ સોલંકીએ બોલાવતા તે પહોંચ્યો હતો. જયાં માલવિયાનગરની પીસીઆરમાં એએસઆઈ અશ્ર્વિન કાનગડ સ્ટાફ સાથે પહોંચ્યો હતો. હમીરને સ્થળ પર માર મારી પીસીઆરમાં માલવિયાનગર પોલીસ મથકે લઈ જવાયો હતો જયાં તેને માર માર્યાના આક્ષેપ સાથે હમીર તા.૧૫ના વહેલી સવારે ખાનગી હોસ્પિટલમાં દાખલ થયો હતો.યુવકના બીજા દિવસે સારવાર બાદ મૃત્યુથી મામલો ગરમાયો હતો. દલિત સમાજે વિરોધ ઉઠાવી તાત્કાલિક આરોપી એએસઆઈને પકડવા દેખાવ કર્યા હતા.
દરમિયાનમાં એએસઆઈ કાનગડ ગઈકાલે ક્રાઈમ બ્રાંચ સમક્ષ રજૂ થતાં માલવિયાનગર પોલીસને કબજો સોંપાયો હતો.
એએસઆઈ કાનગડની યુવકને માર મારતા હત્યા થયરાના આરોપ તથા એટ્રોસિટી એકટ હેઠળ એસીપી દ્રારા ધરપકડ કરાઈ છે. હવે એએસઆઈને ગમે તે ઘડીએ સસ્પેન્ડ કરવામાં આવશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમોદી સરકાર નક્સલવાદ સામે મોટા ઓપરેશનની કરી રહી છે તૈયારી, અમિત શાહ દિલ્હીમાં બનાવશે માસ્ટર પ્લાન
October 05, 2024 08:16 PMNobel Prize 2024: આવતા અઠવાડિયે નોબેલ પુરસ્કારની થશે જાહેરાત, જાણો કોનું થશે સન્માન...
October 05, 2024 08:15 PMએક સાથે પંદર હોમગાર્ડઝ સભ્યોને ફરજ મોકૂફ અને એક સભ્યને બરતરફ કરતાં જામનગર જિલ્લા હોમગાર્ડઝ કમાન્ડન્ટ
October 05, 2024 06:52 PMજામનગરમાં અતિવૃષ્ટિમાં થયેલ નુકશાન બાદ વળતર મુદ્દે પ્રાંત અધિકારીએ આપી પ્રતિક્રિયા
October 05, 2024 06:47 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech