યુવકની હત્યાના આરોપમાં હાજર થયેલા એએસઆઈની ધરપકડ, થશે સસ્પેન્ડ

  • April 23, 2024 03:29 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ગોંડલ રોડ પરના આંબેડકરનગરમાં રહેતા હમીર ઉર્ફે ગોપાલ દેવજીભાઈ રાઠોડ ઉ.વ.૨૪ નામના યુવકની હત્યાના આરોપમાં એક સાહથી વોન્ટેડ માલવિયાનગર પોલીસ મથકના એએઆઈ અશ્ર્વિન જેઠાભાઈ કાનગડ હાજર થતાં તેની ધરપકડ કરાઈ છે. હત્યાના આરોપના ગુનામાં સપડાયેલા એએસઆઈને સસ્પેન્ડ કરવાની તજવીજ આરંભાઈ છે.

ગત તા.૧૪ના રોજ રાત્રીના ખોડિયારનગરમાં પાડોશી ઝઘડાતા હોય સમાધાન માટે હમીરને તેના પરિચિત રાજેશ સોલંકીએ બોલાવતા તે પહોંચ્યો હતો. જયાં માલવિયાનગરની પીસીઆરમાં એએસઆઈ અશ્ર્વિન કાનગડ સ્ટાફ સાથે પહોંચ્યો હતો. હમીરને સ્થળ પર માર મારી પીસીઆરમાં માલવિયાનગર પોલીસ મથકે લઈ જવાયો હતો જયાં તેને માર માર્યાના આક્ષેપ સાથે હમીર તા.૧૫ના વહેલી સવારે ખાનગી હોસ્પિટલમાં દાખલ થયો હતો.યુવકના બીજા દિવસે સારવાર બાદ મૃત્યુથી મામલો ગરમાયો હતો. દલિત સમાજે વિરોધ ઉઠાવી તાત્કાલિક આરોપી એએસઆઈને પકડવા દેખાવ કર્યા હતા.
દરમિયાનમાં એએસઆઈ કાનગડ ગઈકાલે ક્રાઈમ બ્રાંચ સમક્ષ રજૂ થતાં માલવિયાનગર પોલીસને કબજો સોંપાયો હતો.
એએસઆઈ કાનગડની યુવકને માર મારતા હત્યા થયરાના આરોપ તથા એટ્રોસિટી એકટ હેઠળ એસીપી દ્રારા ધરપકડ કરાઈ છે. હવે એએસઆઈને ગમે તે ઘડીએ સસ્પેન્ડ કરવામાં આવશે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application