રાજસ્થાનના હનુમાનગઢમાં સેનાનું મિગ-21 ક્રેશ, બંને પાયલોટ સુરક્ષિત, 2 સ્થાનિકોના મોત

  • May 08, 2023 10:57 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજસ્થાનના હનુમાનગઢ ભારત-પાકિસ્તાન બોર્ડર પાસે એરફોર્સનું મિગ-21 ક્રેશ થયું છે. ટેક ઓફ થયાના 15 મિનિટ બાદ જ ટેકનિકલ ખામી સર્જાતા પાયલોટે વિમાન પરથી નિયંત્રણ ગુમાવી દીધું હતું. દુર્ઘટના પહેલા બંને પાયલોટ વિમાનમાંથી બહાર નીકળી ગયા હતા. જો કે પ્લેન રહેણાંક વિસ્તારમાં પડી જતાં બે ગ્રામજનોના મોતના સમાચાર સામે આવ્યા છે.

મળતી માહિતી મુજબ, વિમાને સુરતગઢ એરબેઝ પરથી ઉડાન ભરી હતી. આ દુર્ઘટના ટેકઓફની 15 મિનિટ બાદ જ બની હતી. પ્લેન એક રહેણાંક વિસ્તારમાં ક્રેશ થયું છે. પાયલોટ અને કો-પાયલોટ વિમાન દુર્ઘટનાગ્રસ્ત થતા વિમાનમાંથી કુદી ગયા હતા જેથી બંનેનો આબાદ બચાવ થયો છે 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application