સિવિલ હોસ્પિટલમાં અમરનાથ યાત્રાએ જવા માટેના યાત્રિકોનો મેડિકલ ફિટનેસ સર્ટી ફિકેટ માટે દરરોજ મોટી સંખ્યામાં ધસારો જોવા મળી રહ્યો છે. તા.૮ થી મેડિકલ ફિટનેસ સર્ટી આપવા માટેની વ્યવસ્થા શ કરવામાં આવતા આજે ૧૦ દિવસમાં ૭૫૨ યાત્રિકોના મેડિકલ સર્ટી ફિકેટ ઇસ્યુ કરવામાં આવ્યા છે.
બરફાની બાબા તરીકે ઓળખાતા અમરનાથ મહાદેવની યાત્રાનું અનેં મહત્વ છે. જમ્મુના શ્રી નગરથી ૧૩૦ કિમીથી વધુના અંતરે આવેલી અમરનાથની ગુફામાં ભકતજનો દર્શન કરી ધન્યતા અનુભવે છે. આ યાત્રામાં દેશ–વિદેશમાંથી લોકોનો પ્રવાહ દર વર્ષે ઉમટી પડે છે. યાત્રામાં શ્રધ્ધાળુઓની સંખ્યા અને રેકર્ડ રાખવા ઉપરાંત સમુદ્રતટ કરતાં ૧૩,૬૦૦ ફટ જેટલી ઊઁચાઈ પર પહાડી ગુફા હોવાથી ત્યાં જવા માટે વ્યકિત આરોગ્યની દ્રષ્ટ્રિએ ફિટ છે કે કેમ ? એ માટેનું અમરનાથ શ્રાઈન બોર્ડ દ્રારા સરકારી હોસ્પિટલમાંથી આપવામાં આવેલું મેડિકલ સર્ટિફિકેટ યાત્રિકો પાસેથી ફરજીયાત પણે મેળવવામાં આવે છે. યાત્રાની શઆત દર વર્ષે જૂન થી ઓગસ્ટ સુધીમાં થતી હોઈ છે.
એ પૂર્વે યાત્રિકો દવારા ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવી મેડિકલ સર્ટી સહિતની કામગીરી પૂર્ણ કરતા હોઈ છે. હાલ અમરનાથ યાત્રા માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ફિટનેસ માટેના મેડિકલ સર્ટી માટે ખુબ મોટી સંખ્યામાં ધસારો જોવા મળે છે. સિવિલમાં તા.૮થી મેડિકલ ફિટનેસ સર્ટી માટેની અલાયદી અને સૃદઢ વ્યવસ્થા ઓપીડી બિલ્ડીંગમાં બીજા માળે શ કરવામાં આવી છે. તા.૮થી તા.૧૮ના બપોર સુધીમાં ૭૫૨ લોકોના ફિટ હોવાના મેડિકલ સર્ટી કાઢવામાં આવ્યા છે. અવ્યવસ્થાની સ્થિતિ ન સર્જાય માટે અલગથી મેડિકલ ઓફિસરની પણ ખાસ નિમણુકં કરવામાં આવી છે.
આ માટેની કામગીરી સિવિલ સુપ્રિટેન્ડેટ ડો.આર.એસ.ત્રિવેદીના માર્ગદર્શન હેઠળ આર.એમ.ઓ. ડો હર્ષદ દૂસરાની રાહબરીમાં કલાર્ક ગૌતમભાઈ આહીર સહિતના કર્મીઓની ટિમ દ્રારા કરવામાં આવી રહી છે
મેડિકલ સટિર્ફિકેટ માટે કોઈ પણ વ્યકિતને પૈસા આપી છેતરાશો નહીં
સિવિલ હોસ્પિટલમાં ગઠિયાઓ અને દલાલો સક્રિય હોવાથી હાલ અમરનાથ યાત્રા માટે યાત્રિકો મોટી સંખ્યામાં મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટ માટે આવી રહ્યા છે. આ ઘસારાનો લાભ લેવા માટે ગઠિયાઓ અને દલાલો ઝડપથી મેડિકલ સર્ટી કઢાવવી આપવા કે અન્ય કોઈ પ્રક્રિયામાંથી નીકળ્યા વગર સર્ટી કઢાવી આપવાની લાલચ આપી યાત્રિકો પાસેથી જો પૈસા માગવામાં આવે તો કોઈએ પૈસા આપવા નહીં, મેડિકલ ફિટનેસ સર્ટી માટે કોઈ પૈસા હોસ્પિટલમાં પણ લેવામાં આવતા નથી. અને આવા કોઈ વ્યકિત પૈસાની માંગણી કરે તો તાત્કાલિક સુપ્રિટેન્ડેન્ટ ઓફિસ અથવા આર.એમ.ઓ ઓફિસ ૧૭ નંબરમાં સંપર્ક કરવા જણાવાયું છે
ફિટનેસ સર્ટી માટે આ ૧૦ સ્ટેપ પુરા કરવા જરૂરી
(૧) યાત્રિકે પોતાના આધારકાર્ડ અને પાસપોર્ટ સાઈઝ ફોટો સાથે લાવવાનો રહેશે
(૨) કેશબારીએ .૫ ભરી મેડિસિન વિભાગનો ઓપીડી કેસ કઢાવવાનો રહેશે
(૩) યાત્રા માટેનું જો ફોર્મ ન હોય તો ૧૭ નંબર વિભાગમાંથી ફોર્મ મેળવવાનું રહેશે
(૪) ૧૯ નંબર મેડિસિન વિભાગમાં તબીબી તપાસણી કરાવવી
(૫) ૧૬ નંબરમાં ઈસીજી કરાવવાનું રહેશે
(૬) ૧૦ નંબર ગ્રાઉન્ડ લોર લેબોરેટરી વિભાગમાં રિપોર્ટ માટે જવાનું રહેશે
(૭) ૨૧ નંબર પોલીસ ચોકી પાસે એકસ–રે માટે જવાનું રહેશે
(૮) ૧૭ નંબર બીજા માળે આર.એમ.ઓ. ઓફિસમાં રિપોર્ટ અને ફાઈલ સાથે જજવાનું રહેશે
(૯) સુપ્રિટેન્ડેન્ટ ઓફિસમાં ફાઇનલ સહી–સિક્કા માટે જવાનું રહેશે
(૧૦) ૧૭ નંબરમાં રેકર્ડ માટે રજીસ્ટર કરાવવાનું રહેશે
– આ તમામ કામગીરી રજાના દિવસો સિવાયના સોમથી શનિ, ઓપીડી સમય સવારે ૯ થી ૧ અને બપોરે ૪ થી ૬ દરમિયાન થશે
–૧૩ વર્ષથી ઓછી અને ૭૦ વર્ષથી વધુ વયના વ્યકિતનું મેડિકલ ફિટનેસ સર્ટી નહીં નીકળી શકે જેની દરેકે નોંધ લેવ
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમોદી સરકાર નક્સલવાદ સામે મોટા ઓપરેશનની કરી રહી છે તૈયારી, અમિત શાહ દિલ્હીમાં બનાવશે માસ્ટર પ્લાન
October 05, 2024 08:16 PMNobel Prize 2024: આવતા અઠવાડિયે નોબેલ પુરસ્કારની થશે જાહેરાત, જાણો કોનું થશે સન્માન...
October 05, 2024 08:15 PMએક સાથે પંદર હોમગાર્ડઝ સભ્યોને ફરજ મોકૂફ અને એક સભ્યને બરતરફ કરતાં જામનગર જિલ્લા હોમગાર્ડઝ કમાન્ડન્ટ
October 05, 2024 06:52 PMજામનગરમાં અતિવૃષ્ટિમાં થયેલ નુકશાન બાદ વળતર મુદ્દે પ્રાંત અધિકારીએ આપી પ્રતિક્રિયા
October 05, 2024 06:47 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech