અરવલ્લી જિલ્લામાં આવેલા મોડાસાના ગડાદર નજીક અમદાવાદ-ઉદયપુર નેશનલ હાઇવે પર એક ભયાનક અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં એક કાર પુલ પરથી નીચે પટકાઈ હતી અને આ ઘટનામાં એક બાળક સહિત ચાર લોકોના મોત થયા છે.
મળતી માહિતી મુજબ, આ કારમાં સવાર પરિવાર શામળાજી મંદિરે દર્શન કરીને પરત ફરી રહ્યો હતો. દુર્ઘટના સ્થળ નજીક કાર ચાલક કદાચ સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવી બેઠો હશે અને કાર પુલ પરથી નીચે પટકાઈ હતી. આ અકસ્માત એટલો ભયાનક હતો કે કારના ચારેય મુસાફરોના ઘટનાસ્થળે જ મોત થયા હતા.
અકસ્માતની જાણ થતાં જ સ્થાનિક પોલીસ અને રાહત કાર્યકર્તાઓ ઘટનાસ્થળે દોડી ગયા હતા. મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પોલીસે આ અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. મૃતક પરિવારના સભ્યોના નિધનથી ગામમાં શોકનું વાતાવરણ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationચેમ્પિયન ટ્રોફી 2025: ભારતે પાકિસ્તાનને 6 વિકેટે હરાવ્યું, વિરાટ કોહલીએ ફટકારી સદી
February 24, 2025 12:43 AMભારત-પાકિસ્તાન મહામુકાબલો: રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, હાર્દિક પંડ્યાએ પણ નોંધાવી સિદ્ધિ
February 23, 2025 07:11 PMસુરેન્દ્રનગર-લીંબડી હાઈવે પર કાળો કેર: ડમ્પર-મિની બસની ટક્કરમાં 5ના મોત, 10થી વધુ ઘાયલ
February 23, 2025 07:08 PMગૌતમ અદાણીએ દર કલાકે આટલા કરોડ ટેક્સ ચૂકવી રચ્યો આ ઇતિહાસ
February 23, 2025 06:51 PMPM મોદીએ બાગેશ્વર ધામમાં કહ્યું 'આ એકતાનો મહાકુંભ છે'
February 23, 2025 06:26 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech