હાલારના જ્ઞાતિજનો દ્વારા મનોજભાઈનું કરાયું સન્માન
જામનગર જિલ્લા ભાજપના પૂર્વ શિક્ષણ સમિતિના ચેરમેન તથા જામનગર જિલ્લાના પૂર્વ મહામંત્રી ભાજપના વરીષ્ઠ અગ્રણી અને જામનગર ભરવાડ માલધારી સમાજનું ગૌરવ માર્ગદર્શક મનોજભાઈ ચાવડીયાની ગુજરાત ભારતીય જનતા પાર્ટી દ્વારા રાષ્ટ્રીય પરિષદના સભ્ય તરીકે નિયુક્તિ કરવામાં આવી છે.
આ વરણી થતાં જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભરવાડ સમાજના આગેવાનો તથા કાર્યકરો દ્વારા બુધવારે તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વેજાભાઈ જોગસવા, વશરામભાઈ ધ્રાંગીયા, હકાભાઈ ખાટરીયા, મચ્છાભાઈ વેસરા, દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભરવાડ સમાજના અગ્રણી યુવા કાર્યકર રાજુભાઈ સરસીયા તથા જામનગરના કમલેશભાઈ ખાટરીયા, સવાભાઈ ટોયટા, કરશનભાઈ વેસરા, મુરૂભાઈ ધ્રાંગીયા, રાજુભાઈ જોગસવા, સહિતના આગેવાનો અને કાર્યકરો દ્વારા તેમનું સન્માન કરવામાં આવ્યું હતું.
તેમને જામનગર પંચકોશી ભરવાડ સમૂહલગ્ન સમિતિના આગેવાનો તથા જામનગર અને દેવભૂમિ દ્વારકા ભરવાડ ગોપાલક યુવા સંગઠન અભિનંદન સાથે શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationડીજીપી વિકાસ સહાય દ્વારા ત્રણ PIને ફરજિયાત નિવૃત્તિનો આદેશ...જાણી લો કારણ
July 04, 2024 11:53 PMઆસામમાં પૂરને કારણે અત્યાર સુધીમાં 56 લોકોના મોત, અરુણાચલમાં પણ 16 લાખથી વધુ અસરગ્રસ્ત
July 04, 2024 11:28 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech