માંગમાં સિંદૂર લગાવવું એ પત્નીની ધાર્મિક ફરજ; ફેમિલી કોર્ટે કર્યો આદેશ

  • March 23, 2024 12:15 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સિંદૂર લગાવવું એ પત્નીનું ધાર્મિક કર્તવ્ય છે અને તે દશર્વિે છે કે મહિલા પરિણીત છે, આ ટીપ્પણી ઈન્દોરની ફેમિલી કોર્ટના ચીફ જસ્ટિસ એનપી સિંહે કરી છે. તેમણે 37 વર્ષીય મહિલાને તાત્કાલિક તેના પતિ પાસે પરત ફરવાનો આદેશ આપ્યો છે. મહિલા લગભગ પાંચ વર્ષથી તેના પતિથી અલગ રહેતી હતી અને તેના પતિએ વૈવાહિક જીવન પુન:સ્થાપિત કરવા માટે હિન્દુ મેરેજ એક્ટ હેઠળ આ કોર્ટમાં અરજી કરી હતી.
ફેમિલી કોર્ટે આ અરજી સ્વીકારતી વખતે 1 માર્ચે આપેલા પોતાના આદેશમાં કહ્યું હતું કે જ્યારે પ્રતિવાદી મહિલાએ કોર્ટમાં જુબાની આપી ત્યારે તેણે સ્વીકાર્યું કે તે કપાળ પર સિંદૂર નથી લગાવી રહી. કોર્ટે કહ્યું, સિંદૂર એ પત્નીની ધાર્મિક ફરજ છે અને તે દશર્વિે છે કે મહિલા પરિણીત છે. કોર્ટે કહ્યું કે મહિલાના સમગ્ર નિવેદનના અવલોકનથી સ્પષ્ટ થાય છે કે તેણીને તેના પતિએ ત્યજી નથી, બલ્કે તેણીએ પોતાની સ્વતંત્ર ઇચ્છાથી પોતાને તેના પતિથી અલગ કરી છે અને છૂટાછેડા માંગી રહી છે. તેના પતિની અરજીના જવાબમાં, મહિલાએ તેના જીવનસાથી પર દહેજ માટે શારીરિક અને માનસિક ઉત્પીડનનો આરોપ મૂક્યો હતો.

જો કે, હકીકતોને ધ્યાનમાં લીધા પછી, ફેમિલી કોર્ટે કહ્યું કે મહિલાએ કોર્ટ સમક્ષ આ આરોપો અંગે કોઈ પોલીસ ફરિયાદ કે કોઈ પોલીસ રિપોર્ટ રજૂ કર્યો નથી. પત્ની સાથે વૈવાહિક જીવન પુન:સ્થાપિત કરવા માટે કોર્ટનો સંપર્ક કરનાર વ્યક્તિના વકીલ શુભમ શમર્એિ જણાવ્યું હતું કે તેમના અસીલના લગ્ન મહિલા સાથે વર્ષ 2017માં થયા હતા અને દંપતીને પાંચ વર્ષનો પુત્ર પણ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application