લોકસભા ચૂંટણીના પરિણામો જાહેર થઈ ગયા છે. આ વખતે ચૂંટણીમાં એનડીએ અને ઈન્ડિયા એલાયન્સ વચ્ચે જબરદસ્ત મુકાબલો હતો. યુપીમાં ભાજપની જીતની આશા હતી પરંતુ બાજી પલટી ગઈ અને અહીં ઘણી સીટો પર એનડીએની હાર થઈ છે. જેથી ઘણા લોકોને શોક લાગ્યો હતો. ખાસ કરીને અયોધ્યામાં ભાજપની હારની કોઈને અપેક્ષા નહોતી. રામ મંદિર બનાવ્યા પછી પણ ભાજપ અહીંથી જીતી શકી નથી. અયોધ્યાથી સમાજવાદી પાર્ટીના ઉમેદવાર જીત્યા છે. આવા ચૂંટણી પરિણામો જોઈને બોલિવૂડ એક્ટર અનુપમ ખેર પણ ચોંકી ગયા છે. તેણે સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરી છે.
અનુપમ ખેરે આ પોસ્ટમાં કોઈનું નામ નથી લીધું પરંતુ તેમની નારાજગી સ્પષ્ટ દેખાઈ રહી છે. લોકો તેમની પોસ્ટ પર કોમેન્ટ કરીને અયોધ્યાની હાર પર દુઃખ વ્યક્ત કરી રહ્યા છે.
અનુપમ ખેરની પોસ્ટ વાયરલ થઈ
અનુપમ ખેરે લખ્યું કે ક્યારેક મને લાગે છે કે એક ઈમાનદાર વ્યક્તિ વધારે ઈમાનદાર ન હોવો જોઈએ. જંગલમાં સૌથી પહેલા એ વૃક્ષને જ કાપવામાં આવે છે જેનું થડ સીધું હોય છે. પ્રામાણિક વ્યક્તિને જ સૌથી વધુ સહન કરવું પડે છે. પરંતુ તેમ છતાં તે પોતાની પ્રામાણિકતા છોડતો નથી..તેથી જ તે કરોડો લોકો માટે પ્રેરણાસ્ત્રોત બને છે. વિજયી બનો.' આ પોસ્ટ શેર કરતી વખતે અનુપમ ખેરે લખ્યું 'સચ્ચાઈ'
કંગના રનૌત હિમાચલ પ્રદેશની મંડીથી ચૂંટણી લડી હતી. કંગનાએ મંડીમાંથી જીત મેળવી છે, ત્યારબાદ અનુપમ ખેરે તેને સોશિયલ મીડિયા પર અભિનંદન આપ્યા હતા. કંગનાના પ્રમોશનના ફોટાનો વીડિયો શેર કરતા તેણે લખ્યું- 'માય ડિયર કંગના, આ મોટી જીત માટે તને શુભકામનાઓ. તુ રોકસ્ટાર છો. તારી યાત્રા પ્રેરણાદાયી છે. હું તારા અને મંડીના લોકો માટે ખૂબ જ ખુશ છું. તે ફરી એકવાર સાબિત કરી દીધું છે કે જો કોઈ કામ પર ફોકસ કરવામાં આવે અને મહેનત કરવામાં આવે તો કંઈ પણ કરી શકાય છે. વિજયી બનો.'
તેના ફિલ્મની વાત કરીએ તો અનુપમ ખેર આ દિવસોમાં પોતાની આગામી ફિલ્મના કામમાં વ્યસ્ત છે. તાજેતરમાં જ તેણે ઈન્ડસ્ટ્રીમાં 40 વર્ષ પૂરા કર્યા છે. અનુપમ ખેરે ઈન્ડસ્ટ્રીમાં 40 વર્ષ પૂરા થવા પર એક વીડિયો શેર કર્યો હતો. જેમાં તેણે પોતાની ફિલ્મો વિશે જણાવ્યું હતું. પોતાની 40 વર્ષની કારકિર્દીમાં અભિનેતાએ 540 થી વધુ ફિલ્મોમાં કામ કર્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationદ્વારકાની ગોમતી નદીના કિનારે શ્રી કૃષ્ણના જીવનને પ્રતિબિંબિત કરતી અદભૂત "કૃષ્ણ: નાટ્ય કથા"
February 24, 2025 12:18 PMમહાભારત બનાવવામાં સપ્તાહે 2 લાખનું નુકસાન હતું,
February 24, 2025 12:11 PMઉર્વશી રૌતેલા ઓરી સાથે ફેરા ફરશે તેવી જોરદાર અટકળો
February 24, 2025 12:08 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech