મીઠાપુરના યુવાનના અપહરણ તેમજ લૂંટના ગુનામાં આરોપીઓના આગોતરા જામીન મંજૂર

  • September 04, 2024 11:40 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દેવભૂમિ દ્વારકાના મીઠાપુર ખાતે રહેતા મેહુલ કમલેશભાઈ પરમારને તારીખ 25-07-2024 ના રોજ રાત્રિના આશરે આઠ એક વાગ્યાના સમયે આરોપી રાકેશ ધનાભાઈ રોશિયાએ મીઠાપુર રેલવે સ્ટેશન ખાતે જઈને તેમને બિભત્સ ગાળો કાઢી, બળજબરીપૂર્વક પકડીને પોતાની મોટરસાયકલ પર બેસાડીને તે પોતાના ઘરે લઈ ગયો હતો. તેના ઘરે મેઘાબેન તથા રાહુલ અને દેવશી અજય વિગેરે આરોપીઓએ ફરિયાદી મેહુલને "તું ઘરે કામ કરવા કેમ આવતો નથી"- વિગેરે બાબત કહી અને બેફામ માર મારી, બિભત્સ ગાળો કાઢી હતી.

આ પછી રાકેશે ફરિયાદીના પેન્ટના ખિસ્સામાં રહેલું પાકીટ કાઢી, અને તેમાં રહેલા રૂપિયા 2,000 બળજબરીપૂર્વક કાઢી લીધા હતા. આ સમગ્ર પ્રકરણમાં મીઠાપુર પોલીસે અપહરણ તથા લૂંટ સંદર્ભ જુદી જુદી કલમ હેઠળ ગુનો દાખલ કર્યો હતો. ત્યાર બાદ આરોપી અજય ધનાભાઈ રોશિયા અને મેઘાબેન ધનાભાઈ રોશિયાએ દ્વારકાની એડિશનલ સેશન્સ અદાલતમાં આગોતરા જમીન માટેની અરજી કરતા આ અંગે આરોપીના વકીલ જીતેન્દ્રભાઈ કે. હિંડોચા વિગેરે દ્વારા કરવામાં આવેલી દલીલોને ગ્રાહ્ય રાખી, એડિશનલ જજ શ્રી કે.જે. મોદી દ્વારા આરોપીઓને આગોતરા જામીન મુક્ત કરવા માટેનો હુકમ કર્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application