જમ્મુ–કાશ્મીરમાં વધુ એક આતંકી હુમલો, રાજાૈરીમાં અધિકારીનું મોત

  • April 23, 2024 11:38 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


જમ્મુ અને કાશ્મીરના રાજાૈરી જિલ્લામાં કથિત આતંકવાદી હત્પમલામાં સમાજ કલ્યાણ વિભાગના એક કર્મચારીની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. સત્તાવાર સૂત્રોએ જણાવ્યું કે, શાહદરા શરીફ જિલ્લા રાજાૈરીના કુંડા ટોપેનો રહેવાસી મોહમ્મદ રઝીક ગંભીર રીતે ઘાયલ થયો હતો યારે આતંકવાદીઓએ તેના ભાઈ પર પણ હુમલો કર્યેા હતો. શાહદરા શરીફના કુંડા ગામમાં આ બનવ બન્યો હતો. તેમણે કહ્યું કે હુમલામાં મોહમ્મદ રઝીક ગંભીર રીતે ઘાયલ થયો હતો. તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો પરંતુ તેનું મોત નીપયું હતું. તે જમ્મુ અને કાશ્મીર સમાજ કલ્યાણ વિભાગનો કર્મચારી હતો. સુરક્ષા દળોએ વિસ્તારને કોર્ડન કરીને સર્ચ ઓપરેશન શ કરી દીધું છે. ઉલેખનીય છે કે રાજાૈરી–અનંતનાગ સંસદીય ક્ષેત્રમાં ૭ મેના રોજ મતદાન થશે.અને ચુંટણને લોહિયાળ બનાવવા આતંકી ઓ ભરપુર પ્રયત્ન કરી થયા છે

અઠવાડિયામાં બીજો હુમલો
અગાઉ ૧૭ એપ્રિલે દક્ષિણ કાશ્મીરના અનંતનાગમાં આતંકવાદીઓએ કાયરતા પૂર્ણ કૃત્ય કયુ હતું. જેમાં આતંકીઓએ ગોળીબાર કરીને બિહારના એક યુવકની હત્યા કરી નાખી હતી. ટાર્ગેટ કિલિંગની આ ઘટના લોકસભા ચૂંટણી દરમિયાન જબલીપોરા વિસ્તારમાં બની હતી. યુવાન રાજુ શાહ તેના પરિવાર સાથે જબલીપોરામાં ભાડે રહેતો હતો અને પકોડા વેચતો હતો



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application