ઈન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ આફ ટેકનોલોજી ગુવાહાટીમાં ૨૧ વર્ષનો છોકરો તેની હોસ્ટેલના મમાંથી મૃત હાલતમાં મળી આવ્યો છે. પોલીસે તેને આત્મહત્યાનો મામલો ગણાવ્યો છે.ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ આફ ટેકનોલોજી ગુવાહાટીની હોસ્ટેલમાં ત્રીજા વર્ષના વિધાર્થીનો મૃતદેહ મળી આવ્યો હતો. આ ઘટના બાદ કેમ્પસમાં ખળભળાટ મચી ગયો હતો. મૃતક વિધાર્થીની ઓળખ ઉત્તર પ્રદેશના રહેવાસી ૨૧ વર્ષીય બિમલેશ કુમાર તરીકે થઈ છે. તે બી.ટેક કોમ્પ્યુટર સાયન્સનો વિધાર્થી હતો.બ્રહ્મપુત્રા હોસ્ટેલના મમાંથી તેનો મૃતદેહ મળી આવ્યો હતો. મૃત્યુના કારણની પુષ્ટ્રિ કરવા માટે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો છે. આ પ્રતિિત સંસ્થામાં આ વર્ષે મૃત્યુની આ ચોથી ઘટના છે. વિધાર્થીના મોતથી ગુસ્સે ભરાયેલા વિધાર્થીઓએ વિરોધ શ કર્યેા હતો.
આઈઆઈટી ગુવાહાટીએ શોક જતાવ્યો
સંસ્થાના પ્રવકતાએ આ ઘટના અંગે જણાવ્યું હતું કે, 'આઈઆઈટી ગુવાહાટીને એક વિધાર્થીના મૃત્યુની જાણ કરતાં ખૂબ જ દુ:ખ થાય છે. અમે આ મુશ્કેલ સમયમાં વિધાર્થીના પરિવાર, મિત્રો અને પ્રિયજનો પ્રત્યે સંવેદના વ્યકત કરીએ છીએ. તેમણે વધુમાં કહ્યું, 'અમે વિધાર્થીઓને તેમના સપોર્ટ નેટવર્ક સુધી પહોંચવા માટે પ્રોત્સાહિત કરીએ છીએ. અમે તમામ વિધાર્થીઓ માટે સહાયક અને સલામત વાતાવરણને પ્રોત્સાહન આપવા માટે પ્રતિબદ્ધ છીએ
વિધાર્થીઓનો વિરોધ
વિધાર્થીના મૃત્યુના સમાચાર સાંભળીને અન્ય વિધાર્થીઓમાં ગુસ્સો ફેલાઈ ગયો અને થોડી જ વારમાં તેઓએ કેમ્પસમાં વિરોધ પ્રદર્શન કરવાનું શ કયુ. વિધાર્થીઓ હવે કોલેજની માનસિક સ્વાસ્થ્ય અને કલ્યાણ સહાયક પ્રણાલી અંગે પ્રશ્નો ઉઠાવી રહ્યા છે.જણાવી દઈએ કે ૯ ઓગસ્ટના રોજ ઉત્તર પ્રદેશની એમટેકની વિધાર્થીની સૌમ્યાનો મૃતદેહ હોસ્ટેલમાંથી મળી આવ્યો હતો. સંસ્થાએ તેને આત્મહત્યા પણ જાહેર કરી હતી. આ પછી સંસ્થાએ વિધાર્થી કલ્યાણ સંબંધિત ચિંતાઓને દૂર કરવા માટે ઘણા પગલાં જાહેર કર્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપોરબંદરમાં બે ઈસમો પાસેથી ૧૫ બોટલ દારૂ મળતા સપ્લાયર તરીકે એક જ બુટલેગરનું નામ ખુલ્યું
September 17, 2024 01:34 PMગાંધીભૂમિને સ્વચ્છ બનાવવા માટે થશે સામૂહિક પ્રયત્નો
September 17, 2024 01:32 PMરાણાવાવનો યુવાન નવરાત્રીમાં લંડનવાસીઓને ઢોલના તાલે ડોલાવશે
September 17, 2024 01:31 PMમાત્ર સાડા ત્રણ કલાકની જ ઊંઘ, 6 વાગ્યા પછી જમતાં નથી... આ છે 74 વર્ષના PM મોદીની દિનચર્યા
September 17, 2024 01:26 PMદિલ્લી CMના સલાહકારથી લઈને મુખ્યમંત્રી પદ સુધી પોહ્ચવાની આતિશીની રાજકીય સફર
September 17, 2024 01:21 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech