મહાઠગ કિરણ અને માલિની પટેલ સામે વધુ એક ફરિયાદ, મોરબીના વેપારી પાસેથી પડાવ્યા હતા 31.11 લાખ રૂપિયા

  • May 06, 2023 12:28 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



મહાઠગ કિરણ અને માલિની પટેલ સામે વધુ એક ફરિયાદ નોંધાઇ છે મોરબીના એક વેપારીએ કિરણ-માલિની પટેલ સામે છેતરપીંડીની ફરિયાદ દાખલ કરાવી છે. કિરણ પટેલ અને માલિની પટેલે મોરબીના વેપારી સાથે લાખોની ઠગાઈ આચરી હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. કિરણ પટેલ હાલ જમ્મુ-કાશ્મીરની જેલમાં છે. જ્યારે માલિની પટેલને તાજેતરમાં જ જામીન મળ્યા છે.


પ્રાપ્ત વિગત પ્રમાણે કિરણ પટેલ અને માલિની પટેલે GPCBનું લાયસન્સ અપાવવાના નામે વેપારી પાસેથી 42 લાખ લીધા હતા. કલાસ-1 અધિકારી તરીકે ઓળખ આપીને આ ઠગ દંપતીએ રૂપિયા પડાવ્યા હતા. ત્યાર બાદ લાયસન્સ ન કરાવી માત્ર 11.75 લાખ પરત કર્યા હતા. જ્યારે બાકીના 31.11 લાખ રૂપિયા પરત આપ્યા જ નહતા. ત્યારે કિરણ પટેલ અને માલિની પટેલે ભેગા મળીને છેતરપીંડી આચરી હોવાની ફરિયાદ દાખલ થઇ છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application