પ્રોજેકટ શરૂ થાય તે પહેલા કરવાની થતી જમીન સંપાદનની કામગીરી માધાપર બ્રિજ વાળા પ્રોજેકટમાં તે ચાલુ થયાના છ મહિના પછી પણ હજુ પૂરી થઈ નથી. છેલ્લા કેટલાક સમયથી અલગ અલગ પ્રકારના જાહેરનામા પ્રસિદ્ધ કરીને હવે આજે વળતરને લગતું જમીન સંપાદન પુન: સ્થાપન અને પુનર્વસન વ્યાજબી વળતર સંદર્ભેનુ અધિનિયમ ૨૦૧૩ નું જાહેરનામું આજે પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. ગુજરાત સરકારના નાયબ સચિવ ભાવિન પટેલે આ જાહેરનામુ પ્રસિદ્ધ કયુ છે.
આ જાહેરનામા અંતર્ગત કુલ ૮ જેટલા પ્લોટ હોલ્ડરની જમીન સંપાદન કરવાની થાય છે. અત્યાર સુધી થયેલી પ્રક્રિયામાં કુલ ત્રણ વાંધાઓ આવ્યા હતા અને તેમની સુનાવણી પૂરી કરવામાં આવ્યા પછી વળતર અંગેનું જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે.રેવન્યુ વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ આ વિસ્તારમાં જંત્રી ભાવ ૬,૦૦૦ આસપાસ છે તો ત્રણ ગણું વળતર ચૂકવવામાં આવે તો પણ તે ઓછું ગણાશે. કારણકે અહીં અત્યારે ૭૦ થી ૮૦,૦૦૦ પિયા ચોરસ મીટર જમીનનો ભાવ છે. આ બાબતે અંતિમ નિર્ણય શું લેવામાં આવે છે તેના પર મીટ મંડાઈ રહી છે. જો બજાર ભાવથી ઓછું વળતર ચૂકવાશે તો વિવાદની પણ શકયતા છે. સરકારે જાહેરનામું પ્રસિદ્ધ કર્યા પછી જમીન સંપાદનને લગતી અન્ય પ્રક્રિયા માટે રાજકોટ શહેર ઝોન ૨ ના પ્રાંત અધિકારીને અધિકૃત કર્યા છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારત-પાકિસ્તાન યુદ્ધની પરિસ્થિતિ પર જામનગર જિલ્લા વહીવટી તંત્રની ચાંપતી નજર
May 09, 2025 02:39 AMભારતને કોઈ નુકસાન થયું નથી... સંરક્ષણ મંત્રાલયે પુષ્ટિ આપી
May 09, 2025 01:28 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech