ઇઝરાયલ હુમલામાં સાત રાહતકર્મીઓના મોત પર ગુસ્સે ભરાયેલા જો બાઈડને કહ્યું- દુર્ભાગ્યપૂર્ણ વાત છે કે...

  • April 03, 2024 09:10 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેને કહ્યું છે કે તેઓ ગાઝામાં સાત રાહતકર્મીઓના મોત પર ગુસ્સે છે, આ ઘટના હૃદયદ્રાવક છે. બાઈડેને કહ્યું છે કે હુમલાને લઈને ઈઝરાયેલની તપાસ જલ્દી પૂરી થવી જોઈએ, હુમલાખોરોની જવાબદારી નક્કી કરવામાં આવે અને આ તપાસને સાર્વજનિક કરવામાં આવે. અમેરિકી રાષ્ટ્રપતિએ કહ્યું કે રાહતકર્મીઓ પર હુમલાની આ પહેલી ઘટના નથી.


આંતરરાષ્ટ્રીય મંચોમાં ઇઝરાયેલી લશ્કરી કાર્યવાહીનો બચાવ કરે છે. બાઈડેને કહ્યું છે કે હુમલાને લઈને ઈઝરાયેલની તપાસ જલ્દી પૂરી થવી જોઈએ, હુમલાખોરોની જવાબદારી નક્કી કરવામાં આવે અને આ તપાસને સાર્વજનિક કરવામાં આવે. અમેરિકી રાષ્ટ્રપતિએ કહ્યું, સૌથી દુર્ભાગ્યપૂર્ણ વાત એ છે કે રાહતકર્મીઓ પર હુમલાની આ પહેલી ઘટના નથી. આ પહેલા પણ અનેક અવસરો પર સેવા કાર્યમાં લાગેલા લોકો ઈઝરાયેલના હુમલાનું નિશાન બની ચૂક્યા છે અને તેમાંના ઘણા લોકો માર્યા ગયા છે.


બાઈડેને વધુમાં કહ્યું કે, ઈઝરાયેલ ગાઝામાં યુદ્ધ દરમિયાન રાહતકર્મીઓ અને નાગરિકોની સુરક્ષા માટે પૂરતા પગલાં લઈ રહ્યું નથી. તાજેતરના હુમલામાં માર્યા ગયેલા સાત રાહત કર્મચારીઓમાં ત્રણ બ્રિટિશ નાગરિકો, એક યુએસ-કેનેડિયન ડ્યુઅલ સિટિઝન અને ઑસ્ટ્રેલિયા અને પોલેન્ડના એક-એકનો સમાવેશ થાય છે. તેમની વચ્ચે એક પેલેસ્ટિનિયન પણ હતો. ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ આ હુમલાને દુ:ખદ ગણાવ્યો છે અને કહ્યું છે કે તે હેતુપૂર્ણ ન હતો



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application