જૂનાગઢ PGVCL દ્રારા ઘંટી માલિકોને ડિપોઝિટ ભરવા નોટિસ ફટકારતા રોષ

  • September 19, 2024 10:18 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


જૂનાગઢ પીજીવીસીએલ દ્રારા અનાજ દળતા ઘંટીમાલિકોને ડિપોઝિટ ભરવા નોટિસ આપવામાં આવી છે.કનેકશન લેતી વખતે નિયમ મુજબ રકમ ભરી હોવા છતાં દોઢથી બે ગણો વધારાનો ચાર્જ વસૂલવાની તજવીજથી ઘંટી માલીકોમા રોષ ફેલાયો છે.ડિપોઝિટ ચાર્જ ન વસૂલવા ઘંટીધારકો દ્રારા રજૂઆત કરવામાં આવી છે.આગામી દિવસોમાં રજૂઆતનો નિકાલ નહીં આવેતો ઘંટી માલિકો દ્રારા હડતાળની  ચીમકી આપી છે
જૂનાગઢમાં અનાજ દળવાની ૩૫૦ થી વધુ ઘંટી આવેલી છે.પીજીવીસીએલ દ્રારા ઘંટી માલિકોને નવા નિયમના ચાજીર્સના નામે વધારાની ડિપોઝિટ ભરવા નોટિસ આપવામાં આવી છે.ઘંટી મહામંડળના ગીતા નીલ તથા  હાનભાઇ ભટીના જણાવ્યા મુજબ સામાન્ય બે થી પાંચ કિલો અનાજ દળી ઘરનું ગુજરાન માંડ ચલાવી રહ્યા છે.પીજીવીસીએલ દ્રારા અગાઉ પાંચ વર્ષ પૂર્વે નોટિસ આપવામાં આવેલી ત્યારે પણ વાંધા અરજી આપવામાં આવી હતી. ત્યારબાદ અમલવારી મૌકુફ રખાઈ હતી. પીજીવીસીએલને કનેકશન સમયે ડિપોઝિટ પેટે .૭,૫૦૦ ભરવામાં આવ્યા હતા. નવા નિયમના ચાજીર્સના નામે ઘંટીધારકોને ૧૦ થી ૧૫ હજારની રકમ ચૂકવવા નોટિસ આપવામાં આવી છે.
જે સામાન્ય લઘુ ઉધોગકારોને પરવડે તેમ નથી જેથી ઘંટી ધારકો દ્રારા પીજીવીસીએલને જટિલ કાયદામાંથી મુકિત અપાવવા માંગ કરી હતી.આગામી દિવસોમાં રજૂઆતનો નિકાલ નહીં આવે તો હડતાળની ચીમકી આપવામાં આવી છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application