રકતપિત્ત નાબૂદી અભિયાન: વેરાવળ, કોડીનાર અને ઉના તાલુકાની ૪ લાખથી વધુ વસ્તીનો કરાયો સર્વે

  • February 02, 2024 10:19 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રક્તપિત્ત નાબૂદી માટે ગીર સોમનાથ જિલ્લા નો આરોગ્ય વિભાગ ખડેપગે કામગીરી કરી રહ્યો છે. ગીર સોમનાથ જિલ્લામાં રક્તપિત્ત નાબૂદી માટે જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીના માર્ગદર્શનમાં જિલ્લા  આરોગ્ય અધિકારી ડો.એ.એસ.રોયની સૂચનાથી ઊના, કોડીનાર અને વેરાવળ એમ ત્રણ તાલુકાઓમાં રક્તપિત્ત દર્દી શોધ અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. જેમાં ૪ લાખથી વધુ વસ્તીનો સર્વે કરવામાં આવ્યો હતો. જેમાંથી માત્ર ૫ દર્દીઓ જ પોઝિટિવ જણાયા હતાં.

આ પાંચેય દર્દીઓને સરકારી હોસ્પિટલમાં વિના મૂલ્યે તમામ સારવાર સાથે જ દર મહિને રૂ.૮૦૦ની તબીબી સહાય પણ આપવામાં આવે છે. ગીર સોમનાથ જિલ્લાના રક્તપિત્ત અધિકારી ડો.શીતલ રામે આ અંગે જણાવ્યું હતું કે, જિલ્લામાં રક્તપિત્ત નાબૂદી માટે ઊના, કોડીનાર અને વેરાવળ તાલુકામાં દર્દીઓને શોધવા માટે સર્વે શરૂ કરવામાં આવ્યો હતો. જેમાં ત્રણ તાલુકાની ૪,૦૧,૩૯૯ વસ્તીનો સર્વે કરાયો હતો. જેમાં ૪૧૮ જેટલા દર્દીઓ શંકાસ્પદ જણાયા હતાં પરંતુ તેમાંથી માત્ર ૫ દર્દી કે જેમાંથી ઊના તાલુકાના ૪ અને કોડીનારનો ૧ દર્દી પોઝિટિવ આવતા તેમને સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. વધુમાં તેમણે ઉમેર્યુ હતું કે, રક્તપિત્ત રોગથી ગભરાવવાની જરૂર નથી. નિયમિત સારવાર અને તકેદારી રાખવામાં આવે તો રક્તપિત્ત માત્ર ૬ મહિનાની સારવારમાં નાબૂદ થઇ શકે છે. જિલ્લામાં કોઇ પણ દર્દીઓને રક્તપિત્ત રોગ અંગે જાણકારી મળે તો નજીકના સરકારી દવાખાનામાં નિદાન અને મફત સારવાર કરાવી શકે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application