દ્વારકા નજીક વંદે ભારત ટ્રેન હેઠળ ઝંપલાવીને અજાણ્યા યુવાનનો આપઘાત

  • July 22, 2024 10:40 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દ્વારકાથી આશરે 17 કિલોમીટર દૂર ઓખામઢી અને ગોરીંજા ગામ વચ્ચેથી પસાર થતા રેલવે ટ્રેક પર રવિવારે મધ્યરાત્રિના સમયે પસાર થતી વંદે ભારત ટ્રેન હેઠળ એક અજાણ્યા પુરુષનું ઈજાગ્રસ્ત હાલતમાં મૃત્યુ નીપજ્યું હતું.


આ અંગે દ્વારકાના રેલવે સ્ટેશન માસ્તર એવા મૂળ બિહાર રાજ્યના મુંગેર જિલ્લાના વતની લક્ષ્મીકુમાર શિવરામપ્રસાદ તાંતિ (ઉ.વ. 41) એ દ્વારકા પોલીસમાં જાણ કરી છે જેમાં જણાવવા એ મુજબ આશરે 40 થી 45 વર્ષના કોઈ અજાણ્યા પુરુષે વંદે ભારત ટ્રેનની સામે આવી જઈ અને પાટા પર સૂઈ જતા ટ્રેનની અડફેટે તેમને જીવલેણ ઇજાઓ થતા તેમનું મૃત્યુ નીપજ્યું હતું.


આ બનાવ અંગે દ્વારકા પોલીસે જરૂરી નોંધ કરી, આગળની તપાસ પી.એસ.આઈ. રમેશભાઈ રાઠોડએ હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application