કર્લીપુલ નજીક ખાડીમાં અજાણ્યો મૃતદેહ મળી આવ્યો

  • September 12, 2024 05:07 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પોરબંદરના કર્લીપુલ નજીક ખાડીમાં અજાણ્યો મૃતદેહ તરતો હતો તેથી તેને બહાર કાઢીને ઓળખ માટેની તજવીજ હાથ ધરવામાં આવી છે. જાણવા મળતી વિગત પ્રમાણે પોરબંદરના કર્લીપુલ અને કર્લી રેલ્વે ટ્રેક વચ્ચે  સાડા આઠ વાગ્યાના સુમારે અજાણ્યો  મૃતદેહ તરતો હોવાનું લોકોના ધ્યાને આવતા પોલીસને જાણ કરવામાં આવી હતી તે ઉપરાંત ફાયરબ્રિગેડને પણ જાણ કરવામાં આવતા પોરબંદર ફાયરબ્રિગેડના જવાનો મૃતદેહને બહાર કાઢવાની કામગીરીમાં જોડાઇ ગયા હતા અને અંદાજે ૧૧ વાગ્યાના સુમારે લાશને બહાર કાઢીને પોસ્ટમોર્ટમ અર્થે સરકારી ભાવસિંહજી હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવી હતી તથા મૃતદેહ કોનો છે તે અંગેની ઓળખ માટેના પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા. હાલમાં પાણીનો પ્રવાહ વધુ હોવાથી ત્યાં મોટી માત્રામાં માછલા મળતા હોવાના કારણે અનેક યુવાનો મોટા વાહનની ટયુબના સહારે માછલા પકડવા માટે જીવના જોખમે અંદર ઉતરતા હોય છે ત્યારે આ પ્રકારે માછલા પકડવા ગયા બાદ મૃત્યુ પામ્યો હતો કે કેમ? કે પછી અન્ય કોઇ વ્યકિત છે? તે અંગેની વિગતો તેની ઓળખ મળશે પછી જાણવા મળશે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application