ભાવેણા ફાઉન્ડશન દ્વારા આર્થિક સહાયના બહાને ઉઘરાવતા પૈસા અંગે તપાસ જરૂરી

  • September 24, 2024 03:22 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ગરીબ અને મધ્યમવર્ગના લોકોને રૂા.૨૪ હજારની આર્થિક સહાય આપવામાં આવશે તેમ જણાવી ભાવેણા ફાઉન્ડેશન દ્વારા રજીસ્ટ્રેશન પેટે લોકો પાસેથી રૂા.૩૦૦ લેવામાં આવતાં હોય આ અંગે તપાસ કરવાની માંગણી આઇજી સમક્ષ કરવામાં આવી છે.અરજદારે જણાવ્યું હતું કે, અમારી તપાસમાં આવી કોઈ સરકારી યોજના નથી ત્યારે ૯ હજારથી વધુ લોકોએ અત્યાર સુધીમાં રજીસ્ટ્રેશન કરાવ્યું હોય તે અંગે તપાસ થાય તે ખુબ જ જરૂરી છે. ભોળાનાથ ફાયનાન્સના નામે વ્યવસાય કરતા અને સમાજીક કાર્યકર અશોકભાઈ ગોરધનભાઈ ગોહીલે રેંજ આઇજી ગૌતમ પરમારને લેખિતમાં આપેલી અરજીમાં રજૂઆત કરી છે કે, તાજેતરમાં તેમના વોટ્સએપ પર મેસેજ (જાહેરાત) આવ્યો હતો કે, પરિવાર સહાય યોજના દ્વારા પ્રત્યેક પરિવારને રૂા.૨૪, ૦૦૦ આર્થિક આપવામાં આવે છે. તેમાંઅવો વાયદો કરવામાં આવ્યો હતો કે આ રકમ પરત નથી કરવાની. જે પરિવારમાં કોઈ સરકારી નોકરી નથી કરતા અને તેમની પાસે રૂા.૩૫ લાખથી ઓછી મિલકત છે તમામ પરિવાર આ સહાય મેળવી શકશે. સંસ્થાએ તેમની ઓફિસનું સરનામુ મારૂતિનંદન ગઢેચી વડલા જણાવ્યું છે. આ અંગે તપાસ કરવામાં આવતાં લોકોએ સહાય મેળવવાની આશાએ રૂા.૩૦ લાખ જેવી માતબર રકમ ચૂકવી દીધી છે ત્યારે આ પ્રકારને ખરેખર સહાય અપાય છે કે કેમ ? તેની તપાસ થાય તે જરૂરી છે. અરજદારે જણાવ્યું હતું કે, જો આ પ્રકારને કોઈ સહાય આપવામાં આવતી ન હોય તો અનેક લોકો સાથે છેતરપિંડી થવાની સંભાવના હોય યોગ્ય તપાસ કરી જો કોઈ ગેરરીતી આચરવામાં આવી હોય તો જવાબદારો સામે કડક કાર્યવાહી કરવામાં આવે. આ અંગે અરજદાર સાથે વાત કરવામાં આવતા તેમણે જણાવ્યું હતું કે, જે જગ્યાનું એડ્રેસ આપવામાં આવ્યું છે ત્યા સવારથી જ લોકોની લાઈન લાગે છે ત્યારે મોટી સંખ્યામાં લોકો રજીસ્ટ્રેશન ફી ચૂકવી રહ્યાં હોય ખરેખર સહાય ચૂકવવામાં આવનાર છે કે કેમ ? તેની તપાસ થાય તે ખુબ જ જરૂરી હોવાનું રજુઆતના અંતે જણાવાયુ હતું.
    



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application