કોમન સિવિલ કોડની દિશામાં મહત્વનું પગલું : કાયદા પંચે સૂચનો માગ્યા

  • June 15, 2023 02:16 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



જાહેર અને ધાર્મિક સંસ્થાઓ પાસેથી અભિપ્રાય માંગવામાં આવ્યા



કાયદા પંચે યુનિફોર્મ સિવિલ કોડ પર ફરીથી પરામર્શ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આ માટે જાહેર અને ધાર્મિક સંસ્થાઓ પાસેથી અભિપ્રાય માંગવામાં આવ્યો છે. કાયદા પંચે આ મુદ્દે એક નિવેદન જારી કરીને જણાવ્યું હતું કે 22મા કાયદા પંચે ફરીથી સમાન નાગરિક સંહિતા (યુનિફોર્મ સિવિલ કોડ) અંગે માન્યતા પ્રાપ્ત ધાર્મિક સંસ્થાઓના મંતવ્યો જાણવાનો નિર્ણય કર્યો છે.




આ અંગે રસ ધરાવતા અને ઈચ્છુક હોય લોકોએ પોતાનો અભિપ્રાય આપી શકે છે. આયોગે મંતવ્યો રજૂ કરવા માટે 30 દિવસનો સમય આપ્યો છે. કર્ણાટક હાઈ કોર્ટના ભૂતપૂર્વ ચીફ જસ્ટિસ ઋતુરાજ અવસ્થીના નેતૃત્વ હેઠળના 22મા કાયદા પંચે રસ ધરાવતા લોકોને 30 દિવસમાં તેમની વેબસાઈટ અથવા ઈમેલ પર તેમના મંતવ્યો સબમિટ કરવા જણાવ્યું છે.




અગાઉ 21મા કાયદા પંચે પણ આ વિષયનો અભ્યાસ કર્યો હતો. ત્યારે પંચે આ અંગે વધુ ચર્ચા કરવાની જરૂર હોવાનું જણાવ્યું હતું. આ વાતને ત્રણ વર્ષથી વધુ સમય વીતી ગયો છે. હવે આ પ્રક્રિયા નવેસરથી શરૂ કરવામાં આવી રહી છે.



યુનિફોર્મ સિવિલ કોડનો અર્થ તમામ નાગરિકો માટે ધર્મને ધ્યાનમાં લીધા વિના લગ્ન, છૂટાછેડા, દત્તક, વારસો અને ઉત્તરાધિકાર જેવી અંગત બાબતોને સંચાલિત કરતા કાયદાઓનો એક સામાન્ય સમૂહ બનાવવાનો છે. હાલમાં, વિવિધ કાયદાઓ વિવિધ ધર્મોના અનુયાયીઓ માટે આ પાસાઓનું નિયમન કરે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application