ઓટીટી પર આવી 'ઇમર્જન્સી'

  • March 17, 2025 11:52 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ચાહકોની આતુરતાનો અંત આવી ગયો છે અને કંગના રનૌતે સોશિયલ મીડિયા પર 'ઇમર્જન્સી'ની ઓટીટી રિલીઝની જાહેરાત કરી

ઘણા વિવાદોની વચ્ચે ગત જાન્યુઆરીમાં થિયેટરમાં રિલીઝ થયેલી પોલિટિકલ ડ્રામા ફિલ્મ 'ઇમરજન્સી'ને લોકોએ ઘણી પસંદ કરી હતી. જે બાદ ચાહકો આ ફિલ્મની ઓટીટી પર આવવાની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા, ત્યારે ચાહકો માટે સારા સમાચાર છે.

કંગના રનૌતની ફિલ્મ 'ઇમરજન્સી' પહેલા 17મી માર્ચે ઓટીટી પર રિલીઝ થવાનું નક્કી થયું હતું. પરંતુ હોળીનો અવસર હોવાથી આ ફિલ્મ ત્રણ દિવસ અગાઉ એટલે કે 14મી માર્ચે જ નેટફ્લિક્સ પર આવી ગઈ છે. જેથી ચાહકો પણ ખૂબ જ ઉત્સાહિત થયા છે. નેટફ્લિક્સે કંગના રનૌતની ફિલ્મ 'ઇમર્જન્સી'ની ઓટીટી રિલીઝની પુષ્ટિ કરીને ચાહકોને ખુશ કર્યા છે. કંગના રનૌતે પણ એક પોસ્ટ દ્વારા ઇમરજન્સીના ઓટીટી રિલીઝની પણ જાહેરાત કરી હતી.

શા માટે વિવાદ સર્જાયો હતો?

ફિલ્મમાં કંગના ઈન્દિરા ગાંધીના રોલમાં જોવા મળી હતી. ઘણા શીખ ધાર્મિક સંગઠનોએ આ ફિલ્મની ટીકા કરી હતી અને તેની વિરુદ્ધ પ્રદર્શન કર્યું હતું. આ તેઓનો દાવો હતો કે, આ ફિલ્મ સાંપ્રદાયિક તણાવને ઉશ્કેરી શકે છે અને ખોટી માહિતી ફેલાવી શકે છે. આ તમામ કારણોસર ફિલ્મની થિયેટરમાં રિલીઝ થાય તે પહેલા જ વિવાદમાં આવી હતી. જો કે આ ફિલ્મ હવે ઓટીટી પર રિલીઝ થઈ રહી છે.


ભારતમાં 25 જૂન 1975થી 21 માર્ચ 1977 સુધી દેશના પ્રથમ મહિલા વડા પ્રધાન ઇન્દિરા ગાંધીના નેતૃત્વ હેઠળ ઇમર્જન્સી લાગી હતી. તે સમયની ઉથલપાથલની પૃષ્ઠભૂમિ પર આ ફિલ્મ તૈયાર થઇ છે. કંગના રનૌતે આ ફિલ્મનું નિર્દેશન સાથે એક એકટ્રેસ તરીકે ઇન્દિરા ગાંધીની ભૂમિકા પણ ભજવી છે.

આ ફિલ્મમાં અનુપમ ખેર, શ્રેયસ તલપડે, વિશાક નાયર, મહિમા ચૌધરી, મિલિંદ સોમન, સ્વર્ગસ્થ સતીશ કૌશિક અને ભૂમિકા ચાવલા સહિતની શ્રેષ્ઠ કલાકારો પણ કામ કર્યું છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ માત્ર 60 કરોડના બજેટ સાથે બનેલી આ ફિલ્મના ખૂબ ચર્ચા છતાં બોક્સ ઓફિસ પર ખાસ પ્રદર્શન કરી શકી નથી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application