ધ્રોલના નથુ વડલામાં વિજ થાંભલા પર સમારકામ કરવા ચડેલા વીજકર્મીને વિજ આંચકો લાગ્યા પછી નીચે પટકાઈ પડતાં અપમૃત્યુ

  • October 03, 2023 10:54 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર જિલ્લાના ધ્રોળ તાલુકા ના નથુવડલા ગામમાં વિજ થાંભલા પર ચડીને વીજ લાઈનનું સમારકામ કરી રહેલા ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટ ને વિજ આંચકો લાગ્યા પછી નીચે પટકાઈ પડતાં તેનું અપમૃત્યુ થયું છે. જે મામલે ધ્રોળ પોલીસ વધુ તપાસ ચલાવે છે.


આ બનાવ ની વિગત એવી છે કે મૂળ જૂનાગઢના વતની અને હાલ ધ્રોળ પીજીવીસીએલમાં ઇલેક્ટ્રિકલ આસીસ્ટન્ટ તરીકે ફરજ બજાવતાં જયદીપ હરસુખભાઈ ચૌહાણ નામના કર્મચારી ગઈકાલે સાંજના સમયે ધ્રોળ તાલુકાના નથુવડલા ગામમાં કરસનભાઈ હઠ્ઠાભાઈ ભરવાડ ના ઘર ની પાછળ આવેલા વિજ થાંભલા પર ચડી ને વિજ લાઇન નું સમારકામ કરી રહ્યા હતા, તે દરમિયાન તેને વિજ આંચકો લાગ્યો હતો, અને થાંભલા પરથી નીચે પડતાં ગંભીર ઇજા થઈ હતી. જેને સારવાર માટે ધ્રોળની સરકારી હોસ્પિટલમાં લઈ જવાયા હતાં, જયાં ફરજ પર ના તબીબે તેનું મૃત્યુ નીપજ્યું હોવાનું જાહેર કરાયું હતું.


આ બનાવ અંગે રમેશચંદ્ર નાનજીભાઈ પરમારે પોલીસને જાણ કરતાં પોલીસે મૃતદેહ નો કબ્જો સંભાળી પોસ્ટમોર્ટમ કરાવ્યું છે, અને આ બનાવ અંગે ઉંડાણપૂર્વકની તપાસ શરૂ કરી છે. વિજ તંત્ર દ્વારા પણ આ અંગે ખાતાકીય તપાસ શરૂ કરાઈ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application