ભાણવડ તાલુકાના આંબરડી ગામે રહેતા તુલસીભાઈ રત્નાભાઈ પરમાર નામના 65 વર્ષના વૃદ્ધ તેમના મોટરસાયકલ પર બેસીને જઈ રહ્યા હતા, ત્યારે અકસ્માતે તેમનું મોટરસાયકલ સ્લીપ થઈ જતા તેમને શરીરના જુદા જુદા ભાગોમાં ઈજાઓ સાથે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ અંગેની જાણ જામનગરના ગોકુલ નગર વિસ્તારમાં રહેતા ડેનિશભાઈ તુલસીભાઈ પરમારએ ભાણવડ પોલીસને કરી છે.
તબિયત લથડતા કાટકોલાના વૃદ્ધનું મૃત્યુ
ભાણવડ તાલુકાના કાટકોલા ગામે રહેતા પાલાભાઈ સવાભાઈ હડગરા નામના 60 વર્ષના વૃદ્ધની તબિયત એકાએક લથડતા તેમને જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નિપજ્યું હોવા અંગેની જાણ આવડો પાલાભાઈ હડગરાએ ભાણવડ પોલીસને કરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજુઓ પોરબંદર જિલ્લામાં જમીન પર થયેલા દબાણ અંગે કલેકટરે શું કહ્યું
April 02, 2025 01:38 PMલીંબુના ભાવમાં આકાશને આંબતો વધારો : કિલોના ₹200
April 02, 2025 01:37 PMપોરબંદરમાં રઘુવંશી એકતા દ્વારા મહાપ્રસાદી અંગે યોજાઇ બેઠક
April 02, 2025 01:36 PMજુઓ પોરબંદર આજકાલનો 22 મો જન્મદિવસ કઈ રીતે ઉજવાયો
April 02, 2025 01:35 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech