મુંબઈના પાલઘર નંદરોલી વિસ્તારમાં રહેતા રાજકોટના વતની વૃધ્ધ દંપતી મુકુંદભાઈ રાઠોડ ઉ.વ.૭૨, કંચનબેન ઉ.વ.૭૦ તથા પ્રૌઢ ત્યકતા પુત્રી સંગીતાબેન ઉ.વ.૫૨ની ઘરમાં જ હત્યા કરાયેલી પેટીમાં પુરી દેવાયેલી કોહવાયેલી લાશ મળી આવી હતી. મુંબઈ પોલીસની તપાસમાં મકાનમાં ભાડે રહેતા ભાડુઆત તાળુ મારીને ફરાર હોવાથી તેના પર શંકા સેવાઈ છે. હત્યા કરવાનો ઈરાદો શું હોઈ શકે તે સહિતના મુદ્દે આરોપીની શોધ પોલીસે હાથ ધરી છે.
રાજકોટના વતની વૃધ્ધ અઢી દાયકા પુર્વે ૨૫ વર્ષ પહેલા મુંબઈમાં સ્થાયી થયા હતા. સંતાનમાં બે પુત્રો પૈકી દિલીપ મુંબઈમાં જ વિરાર વિસ્તારમાં અલગ રહે છે. સુભાષ રાજકોટમાં રહે છે. જયારે પુત્રી સંગીતા સાસરીયેથી પરત ફરી માતા–પિતા સાથે જ રહેતી હતી. બન્ને પુત્રો સમયાંતરે આર્થિક મદદ કરતા હતા અને સંપર્કમાં રહેતા હતા. મકાનનો એક હિસ્સો આવક માટે ભાડે આપેલો હતો.
છેલ્લ ા થોડા દિવસથી બન્ને પુત્રો સંપર્ક કરતા હતા પરંતુ સંપર્ક થતો ન હતો. ભાડુઆતનો પણ સંપર્ક થયો ન હતો. કંઈક અજુગતું હોવાની શંકાએ રૂબરૂ દોડી ગયા હતા. મકાનમાં તિવ્ર દુગધ આવતી હતી. તપાસ કરતા પતરાની મોટી પેટીમાં માતા તથા બહેનનો મૃતદેહ હતો જયારે પિતાનો મૃતદેહ બહાર ફર્શ પર પડેલો હતો. પોલીસ પણ દોડી આવી હતી. મકાનમાં ઉપર રહેલા ભાડુઆતનું ઘર બધં હતું અને ગાયબ હતા. પાડોશીઓને પુછતાછ કરતા ભાડુઆત થોડા સમય પહેલા ખાલી કરીને જતા રહ્યા હતા.
છેલ્લ ા ૧૦–૧૨ દિવસથી દંપતી, પુત્રી કોઈ બહાર નીકળ્યા ન હતા. જેથી એ સમય પુર્વે હત્યા કરાઈ હોવાની આશંકા છે. મૃત્યુના કારણ સમય જાણવા માટે ત્રણેયના ફોરેન્સીક પીએમ કરાવાયા હતા. એક જ પરિવારના ત્રણ સભ્યની સામુહીક હત્યા થયાના પગલે પાલઘર વિસ્તારમાં પણ ભારે ચર્ચા જાગી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application31 MQ-9B સ્કાય ગાર્ડિયન ડ્રોન માટે ભારતની અમેરિકા સાથે ડીલ કન્ફર્મ! ચીન અને પાકિસ્તાનને લાગ્યો ઝટકો
September 22, 2024 10:24 AMગુજરાત સરકારના 11 કરોડના અનુદાન સહિત કુલ રૂ.35 કરોડના ખર્ચે નિર્મિત થનાર પનીર પ્લાન્ટનું ખાતમુહૂર્ત
September 21, 2024 08:20 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech