શહેરના નાગરિક બેંક ચોક પાસે આવેલા કેનેરા બેંક એટીએમમાં છેડછાડ કરી બાદમાં એરર ઊભી કરી ટ્રાન્જેકશન કરેલા પિયા ન મળ્યા હોવાનું કહી બેંકને ફરિયાદ કરી હતી. આમ ભેજાબાજે બેંક સાથે છેતરપિંડીનો પ્રયાસ કર્યેા હોય જે અંગે બેંક મેનેજર દ્રારા ભકિતનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. જે ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી સીસીટીવી ફટેજના આધારે આ બેજાબાજ હરિયાણાના શખસને સકંજામાં લઇ લીધો હોવાનું જાણવા મળ્યું છે
છેતરપિંડીના આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ, બિહારના પૂર્નીયા જિલ્લાના વતની અને હાલ રાજકોટમાં ૧૫૦ ફટ રીંગ રોડ પર શ્રી દ્રારકાધીશ હાઈટસમાં રહેતા અક્ષયભાઈ અવધેશકુમાર આનંદ(ઉ.વ ૩૪) દ્રારા ભકિતનગર પોલીસ સ્ટેશન આ મામલે અજાણ્યા શખસ સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે.
ફરિયાદીએ પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે, છેલ્લા એક મહિનાથી નાગરિક બેંક ચોક પાસે શ્યામ બિલ્ડિંગમાં આવેલા કેનેરા બેન્કની બ્રાન્ચમાં મેનેજર તરીકે નોકરી કરે છે ગત તા. ૧૩૮૨૦૨૪ ના બેન્કના સફાઈ કામદાર જીતેન્દ્ર ડાંગરે મેનેજરને વાત કરી હતી કે, હત્પં આપણી બેંકની બહાર એટીએમ મશીને સફાઈ કરવા માટે ગયો હતો ત્યારે એટીએમ મશીન કામ કરતું ન હતું અને તે ખુલેલું પણ હતું જેથી અહીં જઇ એટીએમના સીસીટીવી ફટેજ ચેક કરતા તારીખ ૧૩૮ ના સવારના સાતેક વાગ્યે એક શખસ એટીએમ માં પ્રવેશ કરી એટીએમમાંથી પૈસા ઉપાડવાની પ્રોસેસ કરી બાદમાં આજુબાજુ જોઈ ખિસ્સામાંથી એક ચાવી જેવું કંઈક કાઢી એટીએમની મોનિટર ઉપર ચાવી લગાવી મોનિટર ખોલી સ્વીચ બધં કરી મોનિટરની સ્ક્રીન જેમની તેમ ફીટ કરી પૈસા લઈ જતો હોય તેવું નજરે પડું હતું. જેથી મેનેજરે આ બાબતે રિજનલ ઓફિસમાં મેલ કર્યેા હતો.
બાદમાં સાંજના ટેકનિકલ ટીમે અહીં તપાસ કરતા એટીએમમાં રિસ્ટાર્ટ કરવાની સ્વીચ આવે છે તે દબાવી એટીએમ રિસ્ટાર્ટ કયુ હતું તેમ કરવાથી પૈસા મળી જાય છે અને ડિસ્પેચની એરર બતાવશે તેવી વાત કરી હતી. તારીખ ૧૬૮ ના સવારના બેંક કલાર્ક ધ્રુવ કાચાએ વાત કરી હતી કે એટીએમની પેનલ ખુલેલી છે જેથી એટીએમમાં તપાસ કરતા તારીખ ૧૩ ૮ ના જે વ્યકિત આવ્યો હતો તે જ તારીખ ૧૫ ૮ ના સવારના અહીં ફરી આવ્યો હતો અને એટીએમ સાથે છેડછાડ કરતો સીસીટીવી ફટેજમાં નજરે પડું હતું. જેથી આ બાબતે ટેકનિકલ વિભાગને જાણ કરી હતી જેમાં માલુમ પડું હતું કે આ શખસ અહીંથી પૈસા ઉપાડી તે પૈસા ડિસ્પેચ થયા નથી તેવી એરર ઊભી કરવાની કોશિશ કરતો હતો આ શખસના એટીએમ કાર્ડની માહિતી જોતા બે અલગ અલગ એટીએમ કાર્ડથી તેને ટ્રાન્ઝેકશન કર્યા હતા.
દરમિયાન ગઈકાલે ફરિયાદી પોતાની બેન્ક પર હતા ત્યારે મેલ આવ્યો હતો કે તારીખ ૧૧૮ ના સવારના એટીએમમાંથી પિયા ૯,૦૦૦ આ અજાણ્યા શખસે ઉપાડી લીધા હોવા છતાં તેની પૈસા ન મળ્યા હોવાનું કહ્યું હતું જો કે સીસીટીવી ફટેજમાં તે પૈસા લઈ જતો હોવાનું સ્પષ્ટ્રપણે દેખાયું હતું આમ આ શખસે એટીએમમાં એરર ઊભી કરી પૈસા ન મળ્યા હોવાનું જણાવી બેંક સાથે છેતરપિંડી કરવાનો પ્રયાસ કર્યેા હોય આ બાબતે ફરિયાદ નોંધાવવામાં આવી છે. જે ફરિયાદના આધારે ભકિતનગર પોલીસ મથકના પી.આઈ એમ.એમ. સરવૈયાના માર્ગદર્શન હેઠળ પોલીસે ગુનો દાખલ કરી આ મામલે પી.એસ.આઇ એમ.એન.વસાવાએ વિશેષ તપાસ હાથ ધરી છે
રાજકોટમાં ૫ વર્ષ પૂર્વે એટીએમ ફ્રોડમાં મેવાતી ગેંગના શખસો ઝડપાયા હતા
રાજકોટ પોલીસે વર્ષ ૨૦૧૯ માં એટીએમ ફ્રોડમાં ગુજરાત સહિત ૭ રાયોમા પોતાના બદઈરાદાઓને અંજામ આપતી મેવાતી ગેંગના બે સભ્યોને જુદી જુદી બેંકના ૫૦થી વધુ એટીએમ કાર્ડ સાથે ધરપકડ કરી હતી. પકડાયેલ આરોપીઓ પોલીસની પ્રાથમિક પુછપરછમા ૧૦લાખથી પણ વધુ રકમની છેતરપિંડી આચર્યાની કબુલાત આપી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારત પાકિસ્તાન યુદ્ધની પરિસ્થિતિ પર જામનગર જિલ્લા વહીવટી તંત્રની ચાંપતી નજર
May 09, 2025 03:04 AMભારત-પાકિસ્તાન યુદ્ધની પરિસ્થિતિ પર જામનગર જિલ્લા વહીવટી તંત્રની ચાંપતી નજર
May 09, 2025 02:39 AMભારતને કોઈ નુકસાન થયું નથી... સંરક્ષણ મંત્રાલયે પુષ્ટિ આપી
May 09, 2025 01:28 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech