મુંબઈથી લંડન ગયા બાદ એર ઈન્ડિયાની ફ્લાઈટને મુંબઈ એરપોર્ટ પર પાછું લેન્ડ કરવું પડ્યું હતું. ટેકનિકલ ખામીના કારણે ફ્લાઈટને મુંબઈમાં પાછું લેન્ડ કરવું પડ્યું હતું. આ સંદર્ભે એર ઈન્ડિયા દ્વારા એક પ્રેસ રિલીઝ જારી કરવામાં આવી હતી અને તેમાં મુસાફરોને પડી રહેલી મુશ્કેલી બદલ ખેદ વ્યક્ત કરવામાં આવ્યો હતો.
મળતી માહિતી મુજબ એર ઈન્ડિયાની ફ્લાઈટ AI129ને ટેક્નિકલ ખામીના કારણે મુંબઈ પરત ફરવું પડ્યું હતું. સાવચેતીભર્યા ચેકિંગ માટે પ્લેન સુરક્ષિત રીતે મુંબઈમાં લેન્ડ થયું હતું. એર ઈન્ડિયાએ મુસાફરોને પડી રહેલી અસુવિધા બદલ ખેદ વ્યક્ત કર્યો હતો. જોકે, એરલાઈને કહ્યું કે તેણે મુસાફરોને તેમના ગંતવ્ય સ્થાન પર લઈ જવા માટે વૈકલ્પિક વ્યવસ્થા કરી છે.
એરલાઈને કહ્યું કે જો મુસાફરો ઈચ્છે તો તેઓ તેમની વૈકલ્પિક વ્યવસ્થા હેઠળ આગળની મુસાફરી ચાલુ રાખી શકે છે. કંપનીએ એમ પણ કહ્યું છે કે તે ટિકિટ કેન્સલેશન પર સંપૂર્ણ રકમ પરત કરશે. ઉપરાંત, જો કોઈ પેસેન્જર પછીની તારીખે મુસાફરી કરવા માંગે છે, તો આગળની ટિકિટ મફતમાં બુક કરી શકાય છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઆ રાશિના લોકોને આર્થિક લાભ મળશે, વિરોધ પક્ષ સક્રિય રહેશે, દલીલો અને વિવાદોથી દૂર રહેવું
April 02, 2025 12:34 PMલાપતા લેડીઝ અરબી ફિલ્મની નકલ હોવાનો આરોપ
April 02, 2025 11:59 AM20 વર્ષથી મેં ગરમ જ પાણી પીધું: ગૌતમી કપૂર
April 02, 2025 11:58 AMઅબીર ગુલાલ'માં પાકિસ્તાન અભિનેતા ફવાદ ખાનને કાસ્ટ કરાતા હોબાળો
April 02, 2025 11:55 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech