નોઈડામાં એક મહિલાના અમૂલ આઇસક્રીમ ટબ માંથી કાનખજૂરો નીકળવાની ઘટનાએ સૌ કોઈને ચોંકાવ્યા હતા, હવે કંપ્નીએ ગ્રાહકને પાસેથી તે પ્રોડક્ટ પરત કરવાની માંગ કરી છે કરી જેથી તેની તપાસ થઈ શકે. મહિલાએ દાવો કર્યો હતો કે તેને આઈસ્ક્રીમમાંથી કાનખજૂરો મળી આવ્યો હતો. કંપ્નીએ એમ પણ કહ્યું કે તે ભારત અને વૈશ્વિક બજારમાં વધુ સારી ગુણવત્તાની ડેરી ઉત્પાદનો પ્રદાન કરવા માટે તૈયાર છે. ખાદ્ય સુરક્ષા અધિકારીઓ દ્વારા આ મામલે તપાસ શરૂ કરવામાં આવી છે. તેણે કહ્યું કે નોઈડામાં એક મહિલાએ દાવો કર્યો છે કે તેણે ’ઈન્સ્ટન્ટ ડિલિવરી એપ’ દ્વારા આઈસ્ક્રીમનો ઓર્ડર આપ્યો હતો, જેની અંદર તેને કાનખજૂરો મળ્યો હતો.
ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન, જે અમૂલ બ્રાન્ડ હેઠળ ડેરી ઉત્પાદનોનું માર્કેટિંગ કરે છે, તેણે નોઈડામાં મહિલા ગ્રાહકને થયેલી અસુવિધા બદલ ખેદ વ્યક્ત કર્યો છે. નોઈડાના ફૂડ સેફ્ટી વિભાગે આ મામલે તપાસ શરૂ કરી છે. અમૂલે એક નિવેદનમાં જણાવ્યું હતું કે તેણે તરત જ સોશિયલ મીડિયા પર મળેલી ફરિયાદની તપાસ કરી હતી. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, આ ઘટનાને કારણે તેમને થયેલી અસુવિધા માટે અમે ખૂબ જ દિલગીર છીએ.
અમૂલે કહ્યું કે તેની ટીમે ગ્રાહકનો તે જ દિવસે (15 જૂન)સંપર્ક કર્યો હતો, નિવેદન અનુસાર, ’ગ્રાહક સાથેની અમારી મીટિંગ દરમિયાન, અમે ગ્રાહકને આ આઈસ્ક્રીમ ટબને તપાસ માટે આપવા માટે વિનંતી કરી હતી, પરંતુ ગ્રાહકે તેને આપવાનો ઇનકાર કર્યો હતો. જ્યાં સુધી ફરિયાદ કરેલ પ્રોડક્ટ ગ્રાહક પાસેથી પરત ન આવે ત્યાં સુધી અમારા માટે આ બાબતની તપાસ કરવી મુશ્કેલ બનશે અને તેથી અમે આ મુદ્દા પર ટિપ્પણી કરી શકીશું નહીં.. વાતચીત દરમિયાન, ગ્રાહકને અમૂલના અત્યાધુનિક આઇએસઑ-પ્રમાણિત પ્લાન્ટ વિશે માહિતી આપવામાં આવી હતી. તે પણ ખાતરી આપવામાં આવી હતી કે વેચાણ માટે ગ્રાહકો સુધી પહોંચતા પહેલા ઉત્પાદનોની ગુણવત્તાની ઘણી તપાસ કરવામાં આવે છે.
સહકારી સંસ્થાએ ગ્રાહકને સંપૂર્ણ તપાસ માટે આઈસ્ક્રીમ ટબ પરત કરવા વિનંતી કરી હતી. અમૂલે કહ્યું, ’ગ્રાહક પાસેથી પ્રોડક્ટ મેળવ્યા પછી, અમે તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને મામલાની તપાસ કરીશું અને તારણો સાથે અમારા ગ્રાહકોને પરત કરીશું.’
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારત પાકિસ્તાન યુદ્ધની પરિસ્થિતિ પર જામનગર જિલ્લા વહીવટી તંત્રની ચાંપતી નજર
May 09, 2025 03:04 AMભારત-પાકિસ્તાન યુદ્ધની પરિસ્થિતિ પર જામનગર જિલ્લા વહીવટી તંત્રની ચાંપતી નજર
May 09, 2025 02:39 AMભારતને કોઈ નુકસાન થયું નથી... સંરક્ષણ મંત્રાલયે પુષ્ટિ આપી
May 09, 2025 01:28 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech