અમૃતસરમાં મંદિર પર ગ્રેનેડ હુમલાનો આરોપી પોલીસ એન્કાઉન્ટરમાં ઠાર

  • March 17, 2025 02:41 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
અમૃતસરના મંદિર પર ગ્રેનેડ હુમલાના આરોપી ગુરસીદક અને વિશાલ રાજાસાંસી વિસ્તારમાં છુપાયેલા હોવાની માહિતી મળી હતી. પોલીસે સર્ચ ઓપરેશન હાથ ધર્યું. આ દરમિયાન આરોપીઓનું પોલીસ સાથે એન્કાઉન્ટર થયું. જેમાં આરોપી ગુરસીદકને એન્કાઉન્ટરમાં ગોળી વાગી હતી.તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો, જ્યાં તેનું મૃત્યુ થયું. જ્યારે તેનો સાથી વિશાલ ભાગી જવામાં સફળ રહ્યો. પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, આરોપી રાજાસાંસી વિસ્તારમાં ફરતો હોવાની ચોક્કસ ગુપ્ત માહિતી મળી હતી.તેને કસ્ટડીમાં લેવા માટે સીઆઈએ અને છેહરતા પોલીસ કર્મચારીઓની એક ટીમ બનાવવામાં આવી હતી. ટીમે બે લોકોને બાઇક પર આવતા જોયા. આના પર પોલીસે બાઇક રોકવાનો પ્રયાસ કર્યો, બાઇક સવાર આરોપી બાઇક છોડીને પોલીસ પાર્ટી પર ગોળીબાર કરી દીધો.

પોલીસના જણાવ્યા અનુસાર, એક ગોળી કોન્સ્ટેબલ ગુરપ્રીત સિંહના માથામાં, એક ગોળી ઇન્સ્પેક્ટર અમોલક સિંહની પાઘડીમાં અને એક ગોળી પોલીસ વાહનમાં વાગી હતી. ઇન્સ્પેક્ટર વિનોદ કુમારે સ્વ-બચાવમાં પોતાની પિસ્તોલમાંથી ગોળીબાર કર્યો, જેમાં આરોપી ગુરસીદક ઘાયલ થયો. અન્ય આરોપીઓ ઘટનાસ્થળેથી ભાગી જવામાં સફળ રહ્યા. એચસી ગુરપ્રીત સિંહ અને ગુરસીદકને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં ગુરસીદકનું મોત નીપજ્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application