અમિતાભને લતા દીનાનાથ મંગેશકર એવોર્ડથી સન્માનિત કરાશે

  • April 17, 2024 11:04 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

24 એપ્રિલે સંગીતના દિગ્ગજ દિનાનાથ મંગેશકરના સ્મૃતિ દિવસે એવોર્ડ એનાયત કરાશે


બિગ બી એટલે કે સુપરસ્ટાર અમિતાભ બચ્ચનને લતા દીનાનાથ મંગેશકર એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે. મંગેશકર પરિવારે મંગળવારે આની જાહેરાત કરી હતી. 6 ફેબ્રુઆરી, 2022 ના રોજ અવસાન પામેલ લતા મંગેશકરની યાદમાં પરિવાર અને ટ્રસ્ટે આ એવોર્ડ શરૂ કર્યો હતો. આ સન્માન 81 વર્ષીય અમિતાભ બચ્ચનને 24 એપ્રિલે લતા મંગેશકરના પિતા અને સંગીતના દિગ્ગજ દિનાનાથ મંગેશકરના સ્મૃતિ દિવસે આપવામાં આવશે.લતા દીનાનાથ મંગેશકર એવોર્ડ તરીકે ઓળખાતા, આ એવોર્ડ દર વર્ષે એવી વ્યક્તિને આપવામાં આવે છે જેણે રાષ્ટ્ર, તેના લોકો અને સમાજમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હોય. આ એવોર્ડ સૌથી પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આપવામાં આવ્યો હતો. આ પછી, 2023 માં તે લતા મંગેશકરની બહેન આશા ભોંસલેને આપવામાં આવ્યું હતું.નોંધનીય છે કે સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેતા સુપરસ્ટાર અમિતાભ બચ્ચને પોતાના આર પર પોસ્ટ શેર કરી છે. 






લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application