બેગુસરાયમાં ટેકઓફ કરતી વખતે અમિત શાહના હેલિકોપ્ટરે બેલેન્સ ગુમાવ્યું, પાયલટની સમજદારીથી ટળ્યો અકસ્માત

  • April 30, 2024 02:01 AM 

બેગુસરાયમાં જનસભાને સંબોધન કર્યા બાદ પરત ફરતી વખતે ગૃહમંત્રી અમિત શાહનું હેલિકોપ્ટર ભારે પવનને કારણે અસંતુલિત થઈ ગયું હતું. પરંતુ પાયલોટે સમયસર હેલિકોપ્ટરને કંટ્રોલ કરી લીધું હતું.


એનડીએના ભાજપના ઉમેદવાર ગિરિરાજ સિંહના સમર્થનમાં ચૂંટણી રેલીને સંબોધિત કરવા સોમવારે બેગુસરાયના જીડી કોલેજ ગ્રાઉન્ડ પર પહોંચેલા કેન્દ્રીય મંત્રી અમિત શાહ મોટી દુર્ઘટનાનો શિકાર બનતા બચી ગયા હતા. જનસભાને સંબોધન કરીને પરત ફરી રહ્યા હતા ત્યારે ગૃહમંત્રીનું હેલિકોપ્ટર ઉડાન ભરતાની સાથે જ થોડીવાર માટે અસંતુલિત બની ગયું હતું. જોકે પાયલોટે સમજદારી દાખવીને હેલિકોપ્ટરને કંટ્રોલ કરી લીધું અને મોટી દુર્ઘટના ટળી ગઈ હતી.


હેલિકોપ્ટર હવામાં લહેરાયું

સભાને સંબોધિત કર્યા પછી ગૃહમંત્રી આગળની યાત્રા માટે હેલિકોપ્ટરમાં સવાર થયા. આ પછી પાયલટે હેલિકોપ્ટર ચાલુ કર્યું. પરંતુ હેલિકોપ્ટર જમીનથી ઉપર ઉડતાની સાથે જ તે વિરુદ્ધ દિશામાં વળ્યું અને વિચિત્ર રીતે આગળ વધવા લાગ્યું. ઘણી વખત હેલિકોપ્ટર 2 ફૂટ જેટલું નીચું આવ્યું અને જમીનને સ્પર્શતા અટકી ગયું હતું. પરંતુ પાયલોટે કોઈક રીતે હેલિકોપ્ટરને કાબૂમાં લીધું અને આગળ ઉડાન ભરી. કહેવામાં આવી રહ્યું છે કે જોરદાર પવનને કારણે હેલિકોપ્ટરનું સંતુલન થોડા સમય માટે બગડી ગયું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application