યુએસ હાઉસના નેતાઓ ક્રાઉડસ્ટ્રાઇકના સીઇઓ જ્યોર્જ કુટ્ર્ઝને ગ્લોબલ ટેક આઉટેજ અંગે કોંગ્રેસ સમક્ષ જુબાની આપવા માટે બોલાવી રહ્યા છે. જેના કારણે ફ્લાઇટ્સ ગ્રાઉન્ડ કરાઇ હતી, બેંક અને હોસ્પિટલ સિસ્ટમ્સ ઑફલાઇન કરી હતી અને વિશ્વભરની સેવાઓમાં વિક્ષેપ પાડ્યો હતો. ક્રાઉડસ્ટ્રાઇકે આ અઠવાડિયે જણાવ્યું હતું કે શુક્રવારે ક્રેશ થયેલા લાખો કમ્પ્યુટર્સ રીસ્ટાર્ટ થયા છે, તેના ગ્રાહકો અને નિયમનકારો શું ખોટું થયું તેની વધુ વિગતવાર સમજૂતીની રાહ જોઈ રહ્યા છે.
ટેનેસીના પ્રતિનિધિ માર્ક ઇ. ગ્રીન અને ન્યુયોર્કના પ્રતિનિધિ એન્ડ્રુ ગાર્બરીનો તરફથી કુટ્ર્ઝને લખાયેલ પત્રમાં જણાવ્યું હતું કે, અમે ક્રાઉડસ્ટ્રાઈકના રિસ્પોન્સ અને સ્ટેકહોલ્ડર્સ સાથેના સંકલનની પ્રશંસા કરીએ છીએ, પણ અમે આ ઘટનાને અવગણી શકીએ નહીં, કેટલાક લોકોએ દાવો કર્યો છે કે આ ઇતિહાસમાં સૌથી મોટી આઇટી આઉટેજ છે. તેઓએ ઉમેર્યું હતું કે અમેરિકનો આ ઘટના કેવી રીતે બની અને ક્રાઉડસ્ટ્રાઈક જે પગલાં લઈ રહી છે તે અંગે વિગતવાર જાણવાને લાયક છે.
ક્રાઉડસ્ટ્રાઇક દ્વારા તેના ગ્રાહકોને મોકલવામાં આવેલ ડિફેક્ટિવ સોફ્ટવેર અપડેટે શુક્રવારે એરલાઇન્સ, બેંકો, હોસ્પિટલો અને અન્ય મહત્વપૂર્ણ સેવાઓને વિક્ષેપિત કરી ઉપરાંત માઇક્રોસોફ્ટની વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમ ચલાવતા લગભગ 8.5 મિલિયન મશીનોને અસર કરી હતી. ક્રાઉડસ્ટ્રાઇકએ રવિવારે મોડી રાત્રે એક બ્લોગ પોસ્ટમાં જણાવ્યું હતું કે તે સમસ્યાના નિવારણને વેગ આપવા માટે એક કંપ્ની નવી તકનીકનો અમલ કરવાનું શરૂ કરી રહી છે.
ટેક્સાસ સ્થિત સાયબર સિક્યોરિટી કંપ્નીના શેરો મેલ્ટડાઉનથી 20 ટકાથી વધુ ઘટ્યા છે, જેના કારણે બજાર મૂલ્યમાં અબજો ડોલરનો ઘટાડો થયો છે. વિક્ષેપોના કારણે એન્ટિટ્રસ્ટ એન્ફોર્સર્સ સહિતના સરકારી નિયમનકારોનું ધ્યાન પણ ખેંચ્યું છે, જો કે તેઓ કંપ્ની સામે પગલાં લે છે કે કેમ તે જોવાનું બાકી છે. યુએસ ફેડરલ ટ્રેડ કમિશનના અધ્યક્ષ લીના ખાને સોશિયલ મીડિયા પર રવિવારની પોસ્ટમાં જણાવ્યું હતું કે, આ દિવસોમાં ઘણી વાર, એક જ ખામીને કારણે સિસ્ટમ-વ્યાપી આઉટેજ થાય છે, જે હેલ્થકેર અને એરલાઇન્સથી લઈને બેંકો અને ઓટો-ડીલર્સના ઉદ્યોગોને અસર કરે છે. લાખો લોકો અને વ્યવસાયો તેની કિંમત ચૂકવે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારત પાકિસ્તાન યુદ્ધની પરિસ્થિતિ પર જામનગર જિલ્લા વહીવટી તંત્રની ચાંપતી નજર
May 09, 2025 03:04 AMભારત-પાકિસ્તાન યુદ્ધની પરિસ્થિતિ પર જામનગર જિલ્લા વહીવટી તંત્રની ચાંપતી નજર
May 09, 2025 02:39 AMભારતને કોઈ નુકસાન થયું નથી... સંરક્ષણ મંત્રાલયે પુષ્ટિ આપી
May 09, 2025 01:28 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech