અલ્લુ અર્જુનને 13 ડિસેમ્બરે સંધ્યા થિયેટર કેસમાં કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો. જે બાદ તેને વચગાળાના જામીન પર છોડવામાં આવ્યો હતો પરંતુ હવે એક પત્ર વાયરલ થઈ રહ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે આ કારણે અલ્લુ અર્જુનની મુશ્કેલીઓ વધી શકે છે અને તેને ફરીથી જેલ જવું પડી શકે છે. સોશિયલ મીડિયા પર એક પત્રનો ફોટો શેર કરવામાં આવી રહ્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ પોલીસ દ્વારા જારી કરવામાં આવ્યું હતું જેમાં તેઓએ લખ્યું હતું કે સુરક્ષા કારણોસર 'પુષ્પા 2' ના સ્ટાર્સ થિયેટરમાં ન આવે. અહેવાલ અનુસાર, આ પત્ર ચિક્કડપલ્લી પોલીસ સ્ટેશન દ્વારા જારી કરવામાં આવ્યો છે. પત્રમાં લખ્યું છે કે સંધ્યા થિયેટરમાં એક જ પ્રવેશદ્વાર છે. તેથી જો કોઈ સેલિબ્રિટી આવે છે તો ભીડને નિયંત્રિત કરવી ખૂબ મુશ્કેલ હશે. પત્રના અંતમાં લખ્યું હતું કે ફિલ્મની ટીમે 4 ડિસેમ્બરે ત્યાં ન આવવું.
જો આ પત્ર સાચો છે તો અલ્લુ અર્જુનની મુશ્કેલીઓ વધી શકે છે. હાલમાં તે 12 જાન્યુઆરી સુધી જામીન પર છે. જો એવું સાબિત થાય છે કે તેની ટીમે પોલીસની સલાહને અવગણી હતી તો તેની સામે કાર્યવાહી થઈ શકે છે.
પત્રનો ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ
4 ડિસેમ્બરે હૈદરાબાદના સંધ્યા થિયેટરમાં 'પુષ્પા 2'ના પ્રીમિયર શો દરમિયાન ભાગદોડ મચી ગઈ હતી. આ નાસભાગમાં રેવતી નામની મહિલાનું શ્વાસ રૂંધાવાથી મોત થયું હતું. આ મામલે અલ્લુ અર્જુન, તેની સુરક્ષા ટીમ અને સિનેમા હોલ મેનેજમેન્ટ સામે કેસ નોંધવામાં આવ્યો હતો. આ સંબંધમાં અલ્લુ અર્જુનની શુક્રવારે સવારે તેના ઘરેથી ધરપકડ કરવામાં આવી હતી. આ પછી, નીચલી કોર્ટે તેને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધો.
એ પછી અલ્લુ અર્જુને હાઈકોર્ટમાં અપીલ કરી હતી. શુક્રવારે હાઈકોર્ટે તેમને વચગાળાના જામીન આપ્યા હતા. હાઈકોર્ટે કહ્યું કે નાસભાગની ઘટના માટે અભિનેતાને જવાબદાર ઠેરવી શકાય નહીં કારણ કે તે જરૂરી પરવાનગી બાદ ફિલ્મના પ્રીમિયરમાં ગયો હતો. અલ્લુ અર્જુનને ચાર અઠવાડિયા માટે આ વચગાળાના જામીન મળ્યા છે. હાઈકોર્ટે તેને રૂ. 50 હજારના અંગત બોન્ડ જમા કરાવવાનો આદેશ આપ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationટોસ હારવામાં ટીમ ઈન્ડિયા શ્રેષ્ઠ... પાકિસ્તાન સામેની મેચમાં બનાવ્યો આ રેકોર્ડ
February 23, 2025 03:38 PMરાજકોટ : કુવાડવા પોલીસ સ્ટેશન સામે જ દ્વારકાધીશ હોટલમાં દેહવ્યાપાર, પોલીસ અજાણ ?
February 23, 2025 03:33 PMરાજકોટની ઝનાના હોસ્પિટલમાં વંદારાજ, જુઓ Video...
February 23, 2025 03:30 PMસારા એવા રસ્તાની રાજકોટ મનપાએ પથારી ફેરવી નાખી !, ઉબડખાબડવાળા રસ્તા અને સત્તત ઉડે છે ધૂળની ડમરીઓ
February 23, 2025 03:29 PMરાજકોટ : સિવિલ હોસ્પિટલ કે ટુ વ્હીલર્સ પાર્કિંગ?
February 23, 2025 03:27 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech