રાજકોટ મનપાની આજે જનરલ બોર્ડ મળી છે. ત્યારે જનરલ બોર્ડ શરૂ થતા પહેલા વિરોધ પક્ષે વિરોધ નોંધાવ્યો હતો. બાદમાં જનરલ બોર્ડમાં શાસક પક્ષ દ્વારા પ્રશ્નો પૂછાતા તડાફડી બોલી ગઈ છે. શાસક પક્ષના પૂર્વ નેતા વિનુ ધવા દ્વારા તડાફડી બોલાવવામાં આવી હતી. તેઓ દ્વારા આરોગ્ય અધિકારી વિરુદ્ધ આક્ષેપો કરવામાં આવ્યા હતા.
આરોગ્ય અધિકારી આરોગ્ય કેન્દ્રની મુલાકાત પણ લેતા નથી
વિનુ ધવાએ જનરલ બોર્ડમાં પ્રશ્નો પૂછી આક્ષેપો કર્યા હતા. તેઓએ કેટલા આરોગ્ય કેન્દ્ર શરૂ છે? તેમાં ક્યાં પ્રકારની વ્યવસ્થા છે? કેટલા મશીન મૂકવાના બાકી છે? તે સહિતના પ્રશ્નો પૂછી તડાફડી બોલાવી હતી. આરોગ્ય અધિકારી આરોગ્ય કેન્દ્રની મુલાકાત પણ લેતા નથી તેવું પણ જણાવ્યું હતું. તેમજ આરોગ્ય અધિકારી કામ ન કરતા હોવાની ફરિયાદ કરી હતી.
આ મુદ્દે તપાસ કરાશે
વિનુ ધવાના આ આક્ષેપોને લઈને મેયર નયનાબેન પેઢડિયાએ કહ્યું કે, આ મુદે તપાસ કરવામાં આવશે. જોકે રાજકોટ મનપાના જનરલ બોર્ડમાં કેટલા પ્રશ્ન પૂછાયા તે અંગે મેયર પણ અજાણ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationલાઈવ કોન્સર્ટમાં ધ્રુસકે ધ્રુસકે રડી પડી નેહા કક્કર, આ ભૂલના કારણે ભડકી ગયા ફેન્સ
March 25, 2025 07:52 PMહમાસ-હુથી છોડો, આ મુસ્લિમ સંગઠને ઇઝરાયલને બરબાદ કરવાની લીધી કસમ, છોડી 3 મિસાઇલ
March 25, 2025 07:51 PMસુરત: વરાછા પોલીસ સ્ટેશનના લોકઅપમાં આરોપીનો આપઘાત, શર્ટથી ગળાફાંસો ખાધો
March 25, 2025 07:49 PMજામનગર: જૂનાગઢ મગફળી કૌભાંડ પર કિસાન કોંગ્રેસ પાલભાઈ આંબલિયાની પ્રતિક્રિયા
March 25, 2025 06:26 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech