પીજીવીસીએલના અધિક્ષક ઇજનેરને સામાજીક કાર્યકરે પત્ર લખીને માંગી વિગત
જામનગર અને વડોદરા શહેરમાં કેટલાક વિસ્તારોમાં સ્માર્ટ મીટર લગાવાયા બાદ વિરોધનો વંટોળ શ થયો છે, નવાગામ ઘેડમાં તો લોકોએ ઉશ્કેરાઇ જઇને મંજુરી વિના પરાણે સ્માર્ટ મીટર લગાવાયાનો આક્ષેપ કરી નગરસેવિકાને સાથે રાખીને પીજીવીસીએલના અધિક્ષક ઇજનેરને આવેદનપત્ર પાઠવ્યું છે ત્યારે સામાજીક કાર્યકર નિતીન માડમે પીજીવીસીએલના અધિક્ષકને એક પત્ર લખીને સ્માર્ટ મીટર અંગેની માહિતી આપવા જણાવ્યું છે.
આ પત્રમાં જણાવાયું છે કે, કેટલીક વિગતો લોકોને ખબર હોતી નથી, સ્માર્ટ મીટર લગાવવા માટે સરકારનો કોઇ પરીપત્ર છે કે કેમ ? પીજીવીસીએલના કર્મચારીઓને ત્યાં આવા મીટર લગાવાયા છે કે કેમ ? સ્માર્ટ મીટર બાબત લોકજાગૃતિ માટે કોઇ કાર્યક્રમ કે સેમિનાર કયર્િ હોય તો પણ વિગત આપવા અને સ્માર્ટ મીટર બાબતે કોઇ ખાનગી કંપની કે કોન્ટ્રાકટ અપાયો હોય તો પણ જણાવવા પત્રમાં કહ્યું છે.
સ્માર્ટ મીટર અંગેના પત્રમાં શહેરના કયાં વિસ્તારમાં આવા મીટર લગાવાની શઆત કરાઇ છે ? આ અંગેનો કોઇ પ્લાન છે કે કેમ ? કયાં અધિકારીને આ પ્રકારના ક્રાઇટ એરીયામાં નકકી કરવામાં આવ્યા છે ? તેમજ નવા સ્માર્ટ મીટરો અંગે કોઇપણ ક્ષતિ કે ફરિયાદ હોય તો તે જણાવશો. તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી જામનગર આવ્યા ત્યારે તેમણે ભારપૂર્વક જણાવ્યું કે, વિજળીના બીલ હવે શૂન્ય થઇ જશે, ત્યારે આવા સ્માર્ટ મીટરો નાખીને લોકોને શા માટે પરેશાન કરવામાં આવે છે ? તે જણાવવા પત્રમાં કહ્યું છે.
છેલ્લા અઠવાડીયાથી જામનગરમાં સ્માર્ટ મીટર નાખવા માટેનો વિરોધ વધી ગયો છે, નવાગામ ઘેડમાં લોકોની મંજુરી વિના સ્માર્ટ મીટર નાખી દેવામાં આવે છે, કેટલાક લોકોએ એવો આક્ષેપ કર્યો છે કે, સ્માર્ટ મીટર નાખવાથી વિજળીની બીલ વધી ગયું છે અને અમોને ફરીથી જુના મીટર આપવા માંગણી કરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટ TRP અગ્નિકાંડ બાદ મનપાના વધુ એક અધિકારી ACBના સકંજામાં, 75 લાખની અપ્રમાણસર મિલકતનો ખુલાસો
April 02, 2025 08:49 PMગુજરાતમાં કાળઝાળ ગરમી: સુરેન્દ્રનગર સૌથી ગરમ શહેર, હવામાન વિભાગની હીટવેવની આગાહી
April 02, 2025 08:40 PMડીસા બ્લાસ્ટ કેસ: સરકાર દ્વારા કમિટીની રચના, 15 દિવસમાં રિપોર્ટ સોંપશે
April 02, 2025 07:48 PMઈદ પર એટલા ગોલગપ્પા ખાધા કે 213 બાંગ્લાદેશી હોસ્પિટલમાં દાખલ થયા, 14ની હાલત ગંભીર
April 02, 2025 07:41 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech