ભાવનગર શહેર-જિલ્લાની તમામ આંગણવાડીે દેશભક્તિના રંગે રંગાઈ

  • August 13, 2024 04:11 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

’હર ઘર તિરંગા’ અભિયાન  અંતર્ગત  ભાવનગરની પાલીતાણાની ડુંગરપુર ગામની આંગણવાડીના ભૂલકાઓએ વિવિધ ચિત્રો દોરી,તિરંગા સાથે સેલ્ફી લઈ  દેશભાવના વ્યકત કરી હતી.અત્રે ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણા અને માર્ગદર્શનમાં સમગ્ર દેશમાં તારીખ ૮ મી થી ૧૫ મી ઓગસ્ટ દરમિયાન "હર ઘર તિરંગા અભિયાન" અને "તિરંગા યાત્રા" યોજાઈ રહી છે. જે અંતર્ગત ગુજરાતમાં પણ મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં આ અભિયાન હેઠળ વિવિધ કાર્યક્રમોના આયોજનો કરવામાં આવ્યા છે.ભાવનગર  જિલ્લામાં પણ ’હર ઘર તિરંગા અભિયાન’ને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application