સાબરમતીથી સ્ટેચ્યુ ઓફ યુનિટીની બંધ પડેલી સી–પ્લેન સેવા શરૂ કરવા તૈયાર

  • March 26, 2024 10:51 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ભારત સરકારે ઘણા ટ પર સી–પ્લેન શ કરવાની યોજના બનાવી છે. ગુજરાતમાં તેની તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. ગુજરાતની સાથે દિલ્હીમાં યમુના રિવર ફ્રન્ટથી ઉત્તર પ્રદેશના અયોધ્યા સુધી સી પ્લેન દોડાવવાની પણ યોજના છે. માલદીવ અને કેનેડા જેવા વિદેશી દેશો માટે સી પ્લેન ઓપરેટ કરશે.

ગુજરાતમાં સાબરમતી રિવર ફ્રન્ટ અને સ્ટેચ્યુ ઓફ યુનિટી વચ્ચે સી–પ્લેન સેવા ફરી શ કરવાની યોજના બનાવવામાં આવી રહી છે. જે ઓકટોબર ૨૦૨૦માં શ થઈ હતી અને એપ્રિલ ૨૦૨૧માં બધં થઈ ગઈ હતી. આ સેવા ફરી શ કરતા પહેલા તેના બધં થવાના તમામ પાસાઓ પર વિચાર કરવામાં આવી રહ્યો છે જેથી તે ફરીથી બધં ન થાય. આ માટે માલદીવ, કેનેડા, ન્યુઝીલેન્ડ અને અન્ય દેશોમાં સી પ્લેન સર્વિસ આપતી કંપનીઓ સાથે વાતચીત કરવામાં આવશે. યાં પણ સી પ્લેન સેવા ખૂબ જ લોકપ્રિય છે. આ માહિતી આપતા, કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રાલયના સૂત્રોએ જણાવ્યું હતું કે વાસ્તવમાં ભારતમાં સી–પ્લેન સેવા ૩૧ ઓકટોબર ૨૦૨૦ ના રોજ ગુજરાતમાં સાબરમતી રિવર ફ્રન્ટ અને સ્ટેચ્યુ ઓફ યુનિટી વચ્ચે શ કરવામાં આવી હતી. તેને પીએમ નરેન્દ્ર મોદીએ ઉતારી હતી. પરંતુ કોરોના અને અન્ય ટેકનિકલ કારણોસર આ સેવા આવતા વર્ષે જ ૧૧ એપ્રિલ ૨૦૨૧ ના રોજ બધં કરવી પડી હતી અને ત્યારથી તે શ કરવામાં આવી નથી.

તેની પાછળ ઘણા કારણો આપવામાં આવ્યા છે. સૂત્રોનું કહેવું છે કે વાસ્તવમાં તે સમયે આ સેવા માટે જે પ્લેન લાવવામાં આવ્યું હતું તે માલદીવથી લાવવામાં આવ્યું હતું. તેની કિંમત વધી રહી હતી અને ટિકિટ પણ મોંઘી થઈ રહી હતી.

આ સિવાય દેશમાં સી પ્લેન ઉડાવવા માટે એકસપર્ટ ક્રૂ પણ ઉપલબ્ધ નથી. ત્યારબાદ કોરોનાની અસર વધવા લાગી. આ તમામ કારણોસર આ સેવા અધવચ્ચે બધં કરવી પડી હતી. પરંતુ હવે તેને પુન: શ કરવા માટે કામગીરી કરવામાં આવી રહી છે. જેમાં માલદીવ, કેનેડા, ન્યુઝીલેન્ડ અને અન્ય દેશોમાં સી–પ્લેન સર્વિસ પૂરી પાડતી એરલાઈન્સ સાથે વાત કરવાની યોજના બનાવવામાં આવી રહી છે, જેઓ સસ્તા અને શ્રે ધોરણે વિવિધ દેશોમાં આ સેવા ઉડાવી રહી છે. કેટલાક નિષ્ણાતો સાથે પણ વાતચીત કરવામાં આવી છે.

ભારતમાં પાઈલટ અને ક્રૂ લાઈંગ સી પ્લેનની નોંધપાત્ર અછત છે. આવી સ્થિતિમાં, શઆતમાં ફકત એવા પાઇલોટસને લેવામાં આવશે જેઓ વિદેશમાં સરળતાથી સી પ્લેન ઉડાડવામાં સક્ષમ હોય.
સી પ્લેન સેવા શ કરવા માટે શઆતમાં એરક્રાટ અને ક્રૂ બંને વિદેશી હશે. જેથી કરીને ભારતમાં આ સેવા હેઠળની ટિકિટો વધુ મોંઘી ન થાય અને જાળવણીના પમાં તેમાં દરરોજ કોઈ સમસ્યા ન થાય. આ વખતે માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ દેશના અન્ય ખૂણે પણ આ સેવા શ કરવાની યોજના બનાવવામાં આવી રહી છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application