ખંભાળિયામાં સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો

  • April 14, 2025 12:13 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતીની પૂર્વ સંધ્યાએ ખંભાળિયામાં રવિવારે અત્રે શક્તિનગર વિસ્તારમાં આવેલી શ્રીનાથજી સ્કૂલ, ડિવાઈન ઇન્સ્ટિટ્યૂટ ઓફ નર્સિંગ ખાતે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.


સેવા ભારતી ગુજરાત પ્રેરિત શ્રી લક્ષ્મણરાવ ઇનામદાર સ્મૃતિ સમિતિ-જામનગર તથા વિશ્વ હિન્દુ પરિષદ અને નેશનલ મેડિકલ ઓર્ગેનાઈઝેશનના સંયુક્ત ઉપક્રમે યોજવામાં આવેલા આ સર્વરોગ નિદાન કેમ્પમાં જાણીતા તજજ્ઞો દ્વારા ડાયાબિટીસ, બીપી, સાંધાના દુખાવા ચામડીના રોગો વિગેરેનું વિનામૂલ્યે નિદાન કરી, દવાનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું. આ કેમ્પનો લાભ મોટી સંખ્યામાં લોકોએ લીધો હતો અને સંતોષની લાગણી વ્યક્ત કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application