જામનગરમાં તમામ તબીબી સારવાર આપતી સંસ્થાઓ, ક્લિનિક અને હોસ્પિટલોએ રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે

  • June 11, 2024 01:14 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ઘી ગુજરાત ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ- 2021'' અન્વયે સમગ્ર જામનગર જિલ્લામાં આવેલી એલોપથી, લેબોરેટરી, હોમિયોપથી, આયુર્વેદ, યુનાની, સિદ્ધા, નેચરોપથી, યોગા અને વગેરે અન્ય રીતે સારવાર આપતી તમામ તબીબી સંસ્થાઓ, કલીનીક, પોલી ક્લિનિક, હોસ્ટિપટલોએ જિલ્લા કક્ષાએ ફરજિયાત રીતે રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે. તેથી જામનગરમાં આવેલી તમામ તબીબી સારવાર આપતી સંસ્થાઓ, ક્લિનિક અને હોસ્પિટલોએ આ રજિસ્ટ્રેશન તાત્કાલિક રીતે પૂર્ણ કરાવવાનું રહેશે.


જે સંસ્થા કે ક્લિનિકનુંં રજિસ્ટ્રેશન ના થયેલ હોય, તો તેમના વિરુદ્ધ ઉકત જણાવેલ એક્ટના સેક્શન- 35 મુજબ પેનલ્ટી અંગે કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આ અંગે વધુ માહિતી મેળવવા માટે આઈ.ડી.એસ.પી. બ્રાન્ચ, આરોગ્ય શાખા, જિલ્લા પંચાયત, જામનગર ખાતે સંપર્ક સાધી શકાશે. તેમજ gcea.dra.jamnagar@gmail.com આ ઈમેઈલ આઈ.ડી. પરથી માહિતી મેળવી શકાશે. તેમ નોડલ ઓફિસરશ્રી, ડીસ્ટ્રીકટ રજિસ્ટરીંગ ઓથોરિટી જી.સી.ઈ.એ. 2021 અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી, જિલ્લા પંચાયત, જામનગરની યાદીમાં જણાવવામાં આવ્યું છે. 




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application