અક્ષય કુમાર આ દિવસોમાં એની અપકમિંગ ફિલ્મોને લઇને ચર્ચામાં બની રહે છે. આ વચ્ચે એક્ટરની અપકમિંગ ફિલ્મ ‘સરફિરા’નું ફર્સ્ટ પોસ્ટર રિલીઝ થઇ ગયુ છે. આ પોસ્ટર સોશિયલ મિડીયામાં છવાઇ ગયુ છે.
અક્ષય કુમારે એની મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘સરફિરા’ને લઇને મોટી અપડેટ શેર કરી છે. ખેલાડી કુમારે એની નવી ફિલ્મ ‘સરફિરા’થી ફરી એક વાર દર્શકોનું એક્સાઇટમેન્ટ વધારી દીધું છે. અક્ષય કુમાર અને રાધિકા મદાનની અપકમિંગ ફિલ્મ ‘સરફિરા’નું પોસ્ટર સામે આવી ગયુ છે. આ પોસ્ટર રિલીઝ થતાની સાથે સોશિયલ મિડીયામાં છવાઇ ગયુ છે. આ સાથે ફિલ્મની રિલીઝ ડેટનું પણ એલાન કરવામાં આવ્યુ છે. ‘સરફિરા’ના ફર્સ્ટ પોસ્ટરમાં અક્ષયનો ધાંસૂ લુક જોવા મળી રહ્યો છે. આ લુક જોયા પછી ફેન્સ ખુશ થઇ ગયા છે.
બેબી, એરલિફ્ટ, ટોયલેટ: એક પ્રેમ કથા અને સ્પેશલ 26 પછી અક્ષય કુમાર ‘સરફિરા’માં જોવા મળશે. ‘સરફિરા’થી અક્ષયનો ઘાંસૂ લુક સામે આવ્યો છે. ફિલ્મનું નવું પોસ્ટર શેર કરતા બોલિવૂડના એક્શન સ્ટાર અક્ષય કુમારે ઇન્સ્ટાગ્રામ પર લખ્યુ છે કે, એક એવા શખ્સની કહાની જેને મોટા સપના જોયાની હિમ્મત કરી અને મારા માટે આ કહાની, ભૂમિકા અને ફિલ્મ ખાસ છે.
આ દિવસે રિલીઝ થશે ‘સરફિરા’
અક્ષય કુમાર અને રાધિકા મદાનની અપકમિંગ ફિલ્મ ‘સરફિરા’ 12 જુલાઇના સિનેમાઘરોમાં રિલીઝ થશે. 14 જૂને અક્ષયે ફિલ્મનું નવું પોસ્ટર શેર કરતા આ માહિતી આપી છે. આ અભિનેતા સૂર્યાની તમિલ ફિલ્મ સોરારઇ પોટરુની રીમેક મુવી છે. આ પોસ્ટરમાં એક્ટરનો દમદાર લુક જોવા મળી રહ્યો છે જે ફેન્સને ખૂબ પસંદ પડી રહ્યો છે.
ફિલ્મ ‘સરફિરા’માં પરેશ રાવલ, રાધિકા મદન અને સીમ બિસવાસ જેવા શાનદાર કલાકાર જોવા મળશે. આ એક ઇનક્રેડિબલ સ્ટોરી લોકોને ઇન્સ્પાયર કરવા માટે મજબૂક કરશે. સુધા અને શાલિની ઉષાદેવી દ્રારા લિખિત, પૂજા તોલાનીના ડાયલોગ અને જી.વી. પ્રકાશ કુમાર મ્યુઝિકની સાથે ‘સરફિરા’નું નિર્માણ અરુણા ભાટિયા, ઉથ સુપરસ્ટાર સૂર્યા, જ્યોતિકા અને વિક્રમ મલ્હોત્રા દ્રારા કરવામાં આવ્યુ છે. વર્કફ્રન્ટની વાત કરીએ તો અક્ષય કુમાર વેલકમ ટૂ જંગલ, હેરા ફેરી 3, સિંઘમ અગેન સિવાય અક્ષય કુમાર વીર પહાડિયાની ફિલ્મ સ્કાઇ ફોર્સમાં પણ જોવા મળશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજગન્નાથ રથયાત્રાના દિવસે બની રહ્યા છે આ દુર્લભ યોગ, જાણો દિવસમાં કેટલો સમય કરી શકાશે પૂજા
July 05, 2024 11:40 PMવરસાદી ઋતુમાં ત્વચાની તમામ સમસ્યાઓ દૂર કરશે આ નાના નાના પાંદડા
July 05, 2024 11:26 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech