અયોઘ્યામાં રામમંદિરનું ઉદ્દઘાટન આગામી તા. રર ના રોજ થઇ રહ્યું છે ત્યારે આજે શ્રીરામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર જામનગરના કાર્યકરોએ આજકાલની મુલાકાત લીધી હતી અને આમંત્રણ કાર્ડ અને કળશ ભેટ આપ્યા હતા, ત્રણ માળનું અયોઘ્યાનું મંદિર છે, જેમાં દરેકને ઉંચાઇની ર૦ ફૂટ, ૩૯ર થાંભલા અને ૪૪ દરવાજા, અયોઘ્યાના રામમંદિરની લંબાઇ પૂર્વ, પશ્ર્ચિમ ૩૮૦ ફૂટ, પહોળાઇ રપ૦ ફૂટ અને ઉંચાઇ ૧૬૧ ફૂટ છે, દિવ્યાંગ લોકો માટે લીફટની વ્યવસ્થા પણ કરવામાં આવી છે, ચારેબાજુ આયતીકાર પરોકટા લંબાઇ ૭૩૩ મીટર, પહોળઇ ૪.રપ મીટર અને ચાર ખૂણે ભગવાન સૂર્ય, શંકર, ગણપતિ, દેવી ભગવતી અને દક્ષિણ દિશામાં હનુમાન અને ઉત્તર તરફ અન્નપૂર્ણા માતાજીનું મંદિર છે. કુલ પાંચ નૃત્ય મંડપ, રંગ મંડપ, ગુઢ મંડપ, પ્રાર્થના મંડપ અને કીર્તન મંડપ પણ રામમંદિરમાં છે, ત્યારે આજે સવારે પવિત્ર અક્ષત કળશનું આગમન આજકાલ કાર્યાલયમાં થયું હતું અને ત્યાં કળશની પૂજા વિધિ કરવામાં આવી હતી, આ પ્રસંગે આજકાલના નિવાસી તંત્રી તારીક ફારુક (પપ્પુખાન), આજકાલના સિનીયર રીપોર્ટર હિરેન ત્રિવેદી, રમેશ ભટ્ટી, અતુલ મહેતા ઉપરાંત કોમ્પ્યુટર વિભાગના હેડ હિતેષભાઇ માતંગ, જય છાંટબાર, ચિરાગ કોઠારી, સંજય પ્રધાન, રવિરાજસિંહ જાડેજા, પંકજ પરમાર, જાહેરાત વિભાગના હિત કનખરા, એકાઉન્ટ વિભાગના હાર્દિક રાઠોડ, ફોટોગ્રાફર મીતેષ દાઉદીયા સહિતના હાજર રહ્યા હતા અને પૂજા વિધિમાં ભાગ લીધો હતો. આજે આમંત્રણ આપવા માટે વિશ્ર્વ હિન્દુ પરિષદના અઘ્યક્ષ ભરતભાઇ ડાંગરીયા, ઉપાઘ્યક્ષ રમેશભાઇ તારંગા, પ્રચાર-પ્રસાર સંયોજક કિંજલ કારસારીયા, વ્રજ ઉપનગરના સંયોજક નિલેશભાઇ વાટલીયા સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારત-પાકિસ્તાન મહામુકાબલો: રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, હાર્દિક પંડ્યાએ પણ નોંધાવી સિદ્ધિ
February 23, 2025 07:11 PMસુરેન્દ્રનગર-લીંબડી હાઈવે પર કાળો કેર: ડમ્પર-મિની બસની ટક્કરમાં 5ના મોત, 10થી વધુ ઘાયલ
February 23, 2025 07:08 PMગૌતમ અદાણીએ દર કલાકે આટલા કરોડ ટેક્સ ચૂકવી રચ્યો આ ઇતિહાસ
February 23, 2025 06:51 PMPM મોદીએ બાગેશ્વર ધામમાં કહ્યું 'આ એકતાનો મહાકુંભ છે'
February 23, 2025 06:26 PMપંજાબી ગાયક ગુરુ રંધાવા ગંભીર રીતે ઘાયલ, માથામાં અને ચહેરા પરની ઇજાથી ચાહકોની ચિંતા વધી
February 23, 2025 04:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech